જામનગરમાં ગળાફાંસો તરૂણે જીવાદોરી ટુંકાવી: પરિવારમાં શોક

  • September 19, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારણ જાણવા માટે કરાતી તપાસ


જામનગરના આઠમાળીયા આવાસમાં એક તરૂણે ગળાફાંસો ખાઇને આયખુ ટુંકાવી લીધુ હતું જેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફેલાઇ ગયુ હતું, કયા કારણસર આપઘાત કર્યો એ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


જામનગરના આઠમાળીયા આવાસ, બ્લોક નં. ડી-2/805 ખાતે રહેતા રોહન સુરેશભાઇ પરમાર (ઉ.વ.16) નામના તણે તા. 18ના રોજ ઘરે એકલા હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતુઁ, આ બનાવની જાણ સુરેશ કલાભાઇ દ્વારા સીટી-સી પોલીસમાં કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી, કયા કારણસર તણે પગલું ભર્યુ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application