ક્ષણિક વિચારોમાં માણસ શું કરવા જઈ રહ્યો છે તેની પોતાને પણ ખબર હોતી નથી. ભગવતીપરામાં ઘરની બાજુની ઓરડીમાં ન્હાવા ગયેલા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ કેટલીક વાર સુધી પરત ન આવતા પત્ની જોવા જતા પતિ લટકતો હતો. બનાવના પગલે બી ડિવિઝન પોલીસએ જરૂરી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં ભારત પાનવાળી શેરીમાં રહેતા હેમલરાજ ચનાભાઈ ચુડાસમા (ઉ.વ.35)ના યુવકે સાંજે ચારેક વાગ્યાના અરસામાં ઘરની બાજુની ઓરડીમાં એંગલમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ન્હાવા જવાનું કહી કેટલીક વાર સુધી પરત ન આવતા પત્ની મયુરીબેન આસપાસ તપાસ કરતા બાજુની ઓરડીમાં પતિને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી -ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર હેમલરાજ છૂટક મજૂરી કામ કરતો હતો, બે ભાઈ પાંચ બહેનમાં નાનો હતો. અને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. યુવકે ક્યાં કારણોસર પગલું ભર્યું એ બાબતે પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસ તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને જામનગરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન
April 18, 2025 12:12 PMતરધડીમાં ઉમિયા ટી ફેકટરીમાં ૭ લાખની ચોરી કરનાર શખસ રાજકોટમાંથી ઝડપાયો
April 18, 2025 12:10 PMવિશ્ર્વ હેરીટેજ દિવસ નિમિતે જામનગરમાં આજે યોજાઇ હેરીટેજ વોક વીથ કવીઝ
April 18, 2025 12:10 PMજામનગરમાં સતત બીજા દિવસે ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 18, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech