ગોંડલ પંથકના સુલતાનપુર તાલુકાના કમઢીયા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી યુવાનની લાશ મળી આવી હતી.દરમિયાન અહીં ખેતીકામ કરનારનું ધ્યાન જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી સુલતાનપુર પોલીસ મથકનો સ્ટાફ તાકીદે બનાવસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન યુવાન અહીં કમઢીયા ગામની સીમમાં વાડીએ ખેત મજૂરી કામ કરતો હોવાનું માલુમ પડ્યું હતું. યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થના ઇજાના નિશાન હોય હત્યા થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,સુલતનાપુર તાલુકાના કમઢીયા ગામની સીમમાં આવેલી વાડીએ ખેતમજૂરીનું કામ કરનાર યુવાને પોલીસે જાણ કરી હતી કે, અહીં ખેતરમાં કોઇ અજાણ્યા યુવાનની લાશ પડી છે.જેથી સુલતાનપુર પોલીસ મથકનો સ્ટાફ તાકીદે બનાવસ્થળે દોડી ગયો હતો.અહીં આવી જોતા ખેતરમાં યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ પડી હોય જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુબજ, જે યુવાનની લાશ મળી આવી છે તે પરપ્રાંતીય હોવાનું અને આસપાસ ખેતરમાં જ મજુરીકામ કરતો હોવાનું જણાઇ રહ્યું છે.જેથી પોલીસે અહીં આસપાસ ખેતીકામ કરનારની પુછતાછ શરૂ કરી છે.જેના આધારે યુવાનની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ કરી હતી દરમિયાન મૃતક યુવાન મૂળ એમપીનો વતની અને હાલ કમઢીયા ગામની સીમમાં યોગેશભાઈ રમેશભાઈ સિયાણીની વાડીએ ખેત મજૂરી કામ કરનાર બંસી બાબુલાલ અર્જનાર (ઉ.વ 30) હોવાનું માલુમ પડ્યું હતું
પોલીસે જણાવ્યું હતું કે, યુવાનના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગમાં બોથડ પદાર્થના ગાજ આપવામાં આવ્યા હોય તેવી ઇજાના નિશાન જોવા મળ્યા છે જેથી પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા યુવાનના પરિવારજનો અને અન્ય ખેત મજૂરોની પૂછપરછ કરવામાં આવી રહી છે જેના આધારે યુવાનની હત્યા કરનાર કોણ અને યુવાનની હત્યા પાછળનું કારણ શું તે અંગેની હકીકત જાણી શકાશે. હાલ બનાવને લઈ સુલતાનપુર પોલીસ પોલીસ મથકના સ્ટાફ દ્વારા તપાસનો દબાણ ચલાવવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech