જામનગર તાલુકાના જાબુંડા ગામના વતની અને ધ્રોળ નજીક સોયલ ગામની નદી પાસે મજૂરી કામ કરતા એક ભરવાડ યુવાને પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક જાંબુડા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો મનોજ મોમલાભાઈ માટીયા નામનો ૨૯ વર્ષનો ભરવાડ યુવાન, કે જે છેલ્લા બે માસથી માનસિક સ્થિતિ ગુમાવી બેઠો હતો, અને તેની દવા ચાલુ હતી. પરંતુ સારું નહીં થતાં તેણે ધ્રોળ નજીક સોયલ નદી ના કાંઠે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રામભાઈ મોમલાભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે મકવાણાએ મૃતદેહ નો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીટલ સ્ટ્રાઈક: ભારતે પાકિસ્તાનના સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગાવી રોક
April 24, 2025 11:18 AMશાપર રેલવે ટ્રેક પાસે બાળકને આસી.લોકો પાયલોટએ ફેંકેલી પાણીની બોટલ છાતીમાં લાગતા મોત થયું હતું
April 24, 2025 11:16 AMડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech