નાનપણથી જ ઘરના વડીલોને રાત્રે વહેલા સૂવાની અને સવારે વહેલા ઉઠવાની સલાહ આપતા સાંભળ્યા હશે. પરંતુ આજની ઝડપી જીવનશૈલીને કારણે સૂવાની અને જાગવાની આ રૂટિનનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે સરળ કાર્ય નથી. આજે લોકોની દિનચર્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જે લોકો રાત્રે મોડે સુધી કામ કરે છે તેઓ રાત્રે મોડા સુવે છે અને પછી સવારે મોડે સુધી ઊંઘતા રહે છે. આ યાંત્રિક જીવન સ્વાસ્થ્યને ઊંડી અસર કરી રહ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જે લોકો મોડે સુધી જાગે છે તેમને હૃદય, મગજ અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર જે લોકો દરરોજ રાત્રે 9 કે 10 કલાક ઊંઘે છે તેઓ 7 થી 8 કલાકની ઊંઘ લેનારા લોકોની સરખામણીમાં 6 વર્ષમાં 21 ટકા વધુ સ્થૂળતાનો ભોગ બને છે.
અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજીના મેડિકલ જર્નલના અભ્યાસ મુજબ જે લોકો 90 મિનિટથી વધુ સમય માટે મિડ-ડે નિદ્રા લે છે. તેમને સ્ટ્રોકનું જોખમ 25 ટકા વધી જાય છે. કારણકે વધુ પડતી ઊંઘ કોલેસ્ટ્રોલના સ્તરમાં ખલેલ પહોંચાડે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાન
જે લોકો સવારે મોડા ઉઠે છે તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. હેલ્થ એક્સપર્ટના મતે જે લોકો આવું કરે છે તેમને ચીડિયાપણું, ડિપ્રેશન અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ અન્ય કરતા વધુ થઈ શકે છે.
સ્થૂળતા
જે લોકો વધુ સમય સુધી ઊંઘે છે તેમનો મેટાબોલિક રેટ ઘણો ઓછો રહે છે. જેના કારણે તેમને કંઈપણ ખાધા પછી કેલરી બર્ન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે અને તેમને સ્થૂળતાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દિવસમાં 8 કલાકની ઊંઘ પૂરતી છે. વધુ પડતી ઊંઘને કારણે વ્યક્તિનું વજન ધીમે ધીમે વધવા લાગે છે.
પાચન સંબંધી સમસ્યાઓ
સવારે મોડે સુધી સૂવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પણ પડે છે. આ કારણે પાચનતંત્ર ધીમે ધીમે કામ કરે છે. જે આગળ કબજિયાત અને પાઈલ્સ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
હાઈ બ્લડ પ્રેશર
જે લોકો મોડા ઊંઘે છે તેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, જે લોકો 9 કલાકથી વધુ ઊંઘ લે છે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો શિકાર બને છે. વાસ્તવમાં જે લોકો સવારે મોડે સુધી સૂઈ જાય છે તેમને યોગ્ય સૂર્યપ્રકાશ મળતો નથી અને શરીરના હોર્મોન્સ તેમનું સંતુલન ગુમાવવા લાગે છે. જેના કારણે બ્લડ પ્રેશર લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી શકે છે. જે પાછળથી હૃદય સંબંધિત અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.
NCBIના એક રિસર્ચ મુજબ જે લોકો વધારે ઊંઘે છે તેમને ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે. ડિપ્રેશનથી પીડિત 15 ટકા લોકો વધુ ઊંઘે છે. આ સમસ્યાથી બચવા માટે વધુ પડતી ઊંઘ પર નિયંત્રણ રાખવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech