ટ્રમ્પે ઇઝરાયલના લેબનોન પર વધતા હત્પમલાઓ અંગે ફોન પર ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહને ઠપકો આપ્યોઆજકાલ પ્રતિનિધિ
ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના લેબનોન પર વધતા હત્પમલાઓ અંગે ફોન પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહને ઠપકો આપ્યો હતો. તેમણે નેતન્યાહને પાગલ પણ કહ્યા હતા. ઇઝરાયલ દ્રારા લેબનોન વિદ્ધ વધતી કાર્યવાહી પર ઇઝરાયલના અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો છોડી દેવાની ધમકી આપ્યા બાદ આ વાત સામે આવી હતી.
ટ્રમ્પ–નેતન્યાહ કોલથી પરિચિત બે અમેરિકન અધિકારીઓ અને ત્રીજા ક્રોતને ટાંકીને એકિસઓસે અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પે નેતન્યાહને પાગલ કહ્યા હતા અને તેમના પર કૃતજ્ઞતાનો આરોપ લગાવ્યો હતો. કોલથી પરિચિત અન્ય એક ક્રોતે જણાવ્યું હતું કે ટ્રમ્પ ખૂબ ગુસ્સે હતા અને એક સમયે નેતન્યાહ પર બૂમ પાડી હતી, તમે શું કરી રહ્યા છો?
ટ્રમ્પે કહ્યું, જો હત્પં ન હોત, તો તમે જેલમાં હોત. હત્પં તમારો જીવ બચાવી રહ્યો છું. હવે દરેક વ્યકિત તમને નફરત કરે છે. તેના કારણે, દરેક વ્યકિત ઇઝરાયલને નફરત કરે છે.
ઇઝરાયલના બેત પર વધુ હત્પમલો કરવાની યોજનાઓને પણ અટકાવી દીધી.
અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથઆઉટ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, મેં ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહ સાથે વાત કરી હતી, અને કોઈ પણ સૈન્ય બેત જશે નહીં, અને રસ્તામાં આવતા કોઈપણ સૈનિકોને પહેલાથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે, ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિઓ દ્રારા મેં હિઝબુલ્લાહ સાથે ખૂબ જ સારી વાતચીત કરી હતી, અને તેઓ સંમત થયા હતા કે બધી ગોળીબાર બધં થશે, ઇઝરાયલ તેમના પર હત્પમલો કરશે નહીં, અને તેઓ ઇઝરાયલ પર હત્પમલો કરશે નહીં.
ઈરાનની અર્ધ–સત્તાવાર સમાચાર એજન્સી, તસરીમે જણાવ્યું હતું કે લેબનોન પરના હત્પમલાઓને કારણે તેહરાનની વાટાઘાટ ટીમ મધ્યસ્થી દ્રારા અમેરિકા સાથે સંદેશાવ્યવહાર બધં કરી રહી છે.
ઈઝરાયલ દ્રારા લેબનોન પરના હત્પમલાઓને કારણે ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલા શાંતિ કરાર પર મધ્યસ્થીઓ સાથેની બધી વાટાઘાટો સ્થગિત કરી દીધી છે. લેબનોનમાં ઇઝરાયલી હત્પમલાઓ અને લેબનોન યુદ્ધવિરામની પૂર્વશરતો સહિત તમામ મોરચે યુદ્ધવિરામના ઉલ્લંઘનને કારણે, ઈરાની વાટાઘાટ ટીમ મધ્યસ્થી દ્રારા વાટાઘાટો અને સંદેશાઓની આપ–લે સ્થગિત કરી રહી છે, ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે
ટ્રમ્પના દાવા પછી પણ નેતન્યાહએ બૈરુત પર હત્પમલો કરવાની ધમકી આપી
ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહએ પોતાનું મૌન તોડું છે. નેતન્યાહએ જણાવ્યું હતું કે જો હિઝબુલ્લાહ ઉત્તરી ઇઝરાયલ સામેના હત્પમલા બધં નહીં કરે, તો તેમનો દેશ બેતને નિશાન બનાવવાની પૂર્વ–આયોજિત રણનીતિ અપનાવશે. મેં રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી અને તેમને કહ્યું કે ઇઝરાયલ બેરુતમાં આતંકવાદી સ્થળો પર હત્પમલો કરશે