જોડિયાના માવ ગામમાં સુરાપુરા દાદાનો યજ્ઞ યોજાયો

  • November 20, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રઘ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

જોડિયા તાલુકાનું માવના ગામમાં ડાભી પરીવારના સુરાપુરા દાદાનું ભર્યું અને હવન કરવામાં આવ્યો હતો તેમાં ડાભી પરિવારના સુરાપુરા દાદા જે શ્રઘ્ધાળુઓનો વિશ્ર્વાસ રાખે તેનુ કામ પુર્ણ કરે છે.
આખી નાતને રાવત સમાજ ઉમટી પડ્યા હતા અને મુખ્ય ભગત સુરાપુરા દાદાના અને મોમાઈ માતાજીના ભગત લખુબાપા ની આગેવાની હેઠળ આ સુરાપુરા દાદાનું કામ કરવામાં આવ્યું હતું તેમાં પણ બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં  ગ્રામજનોએ લાભ લીધો હતો અને ઉત્તર ગુજરાત માંથી અમદાવાદથી પણ મહેમાનો આવ્યા હતા અને ડાભી પરિવાર લાલાબાપા સુરાપુરાના મહાયજ્ઞ માં ૬૦.પાટલા રાખવામાં આવ્યા હતા અને ત્યાં રાવત સમાજે હાજરી આપી હતી જોડિયા તાલુકા થી લઈને મોરબી તાલુકા સુધી શ્રઘ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અમદાવાદથી પણ શ્રઘ્ધાળુઓ આવ્યા હતા બે દિવસ સુધી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application