ન્યાયના દેવતા શનિદેવની જન્મજયંતિ નિમિત્તે પૂજન

  • May 27, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 આજે મંગળવારે વૈશાખ વદ અમાસના રોજ સૂર્યપુત્ર શનિદેવની જન્મજયંતી નિમિત્તે ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવ,મેઘાણી સર્કલ  સાંઈબાબા મંદિરે ,ટોપ થ્રી પાસે આવેલા સાઈ ધામ ખાતે તેમજ હનુમાનજી મંદિરે શનિદેવની મૂર્તિને ભાવિકોએ તેલ, કાળુ વસ્ત્ર, કાળી દ્રાક્ષ,કાળા તલ,અડદ સહિતની ચીજો અર્પણ કરી પૂજન અર્ચન કર્યું હતું. તેમજ અનેક ભાવિકોએ તેમની પનોતી અને શનિના કષ્ટ નિવારણ માટે ગરીબોને કાળી ચીજ વસ્તુઓનું દાન કર્યું હતું.ભાવિકોએ હનુમાન ચાલીસા,શનિ ચાલીસા,શનિ સ્તુતિ સહિતનું પઠન કર્યું હતું અને પનોતી સહિતના શનિદેવના કષ્ટમાં રાહત મળે તે માટે પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application