રાજકોટમાં મવડી ચોકડી પાસે નિર્માણાધીન મકાનમાં શનિવારના કડિયા કામ કરી રહેલા બે શ્રમિકને વીજ શોક લાગતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું યારે અન્યને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.રૈયા ગામમાં રેહતા આ શ્રમિક યુવાને સારવાર દરમિયાન હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મવડી ચોકડી પાસે આર.કે.બિલ્ડિંગની પાછળ દેવશીભાઇ અઘેરના મકાનનું કામ ચાલતું હોય દરમિયાન શનિવારે અહીં કડિયા કામ કરનાર બે શ્રમિકો અકસ્માતે વીજ વાયરને અડી જતા બંનેને જોરદાર વીજ કરટં લાગ્યો હતો જેમાં એક શ્રમિક અહીં જ ઢળી પડો હતો. યારે અન્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અહીં મકાનમાં કડિયા કામ કરી રહેલા ગુંદાસરા ગામના વતની મુકેશભાઈ લાખાભાઈ પરમાર (ઉ.વ ૪૯) નું આ ઘટનામાં જોરદાર વિજ કરટં લાગવાથી મોત થયું હતું યારે રાજકોટના રૈયા ગામમાં રહેતા મહેશ મનુભાઈ નીનામા (ઉ.વ ૩૦) ને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.દરમિયાન ગઇકાલે સાંજના સારવાર દરમિયાન મહેશનું પણ હોસ્પિટલ બીછાને મોત થયું હતું.જે અંગેની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતા માલવીયાનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech