શંકરટેકરીમાં મહિલાના મકાનમાં તોડફોડ, સામાન વેર-વિખેર

  • September 18, 2023 01:40 PM 

જામનગરના શંકરટેકરી મોટા પાણીના ટાંકા પાસે રહેતી મહિલાના મકાનમાં આરોપીઓએ ગેરકાયદે પ્રવેશી સામાન વેરવિખેર કરી તોડફોડ કરી હતી તેમજ માતા-પુત્ર સહિત 3ને અપશબ્દો કહયા હતા.


જામનગરના શંકરટેકરી પાણીના ટાંકા પાસે રહેતી જુલીબેન અશ્ર્વીનભાઇ ચુડાસમા (ઉ.વ.38)ના મકાનમાં ગત તા. 13ના રો આરોપીઓએ ગેરકાયદે પ્રવેશ કરી તેણીના ઘરનો સામાન વેરવિખેર કરી નાખી તેમજ તોડફોડ કરીને નુકશાન પહોચાડયુ હતું. આરોપી ઉમંગે ફરીયાદીના પુત્ર અભીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા અભી અને બિરેન્દ્રકુમારને અપશબ્દો કહયા હતા. આ બનાવ અંગે જુલીબેન દ્વારા બે દિવસ પહેલા સીટી-સીમાં શંકરટેકરીમાં રહેતા ઉમંગ મંગી, પાયલબેન મંગી અને રેખાબેન મંગીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application