કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે તાંત્રિક વિધી કરવા નામે એક શખ્સ ઘરમાં ઘુસી જઈ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ આચયુ હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કેશોદ ડિવીઝનના ચાર્જમાં રહેલાં માંગરોળ ડીવાયએસપી ડી. વી. કોડિયાતરના જણાવ્યાં મુજબ હજુ ઘણા ખરા આર્થિક નબળા પરિવાર સુખ, શાંતિ, આર્થિક સધ્ધરતાં મેળવવા અંધશ્રધ્ધાના નામે તાંત્રિક વિધી કરાવવા પ્રેરાય છે. જયારે તેને ખ્યાલ આવે ત્યાં સુધીમાં તેમની સાથે ન થવાનું થઈ જાય છે. આ ઘટના કેશોદના ગ્રામ્ય પંથકની છે. જયાં એક પરિણિત મહિલા તેના પતિ સાથે રહેતી હોય આર્થિક સ્થિતી નબળી હોય પતિ – પત્નીવચ્ચે અવારનવાર ઝઘડા થર્તા હોય સુખ શાંતિ મળે તેવા સંજોગોમાં એક તાત્રિક વિધી કરતાં શખ્સના સંપર્કમાં આવી હતી.
આથી મહિલા અને આ શખ્સ વચ્ચે તાંત્રિક વિધી માટે થયેલ વાતચીત મુજબ જયારે મહિલાનો પતી રાત્રીના જમીને બહાર જતાં આ શખ્સ મહિલાની એકલતાનો લાભ લઈ તાંત્રિક બહાને મહિલાના ઘરે પહોંચ્યો હતો. અને મહિલાના ઘરમાં પ્રવેશ કરી, ઘરનું બારણું બધં કરી, તાંત્રિક વિધીના નામે દિવો પ્રગટાવી મ બધં કરી મહિલાને ધાક ધમકી આપી માર મારી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચયુ હતું. આ ઘટના અંગે પીડિત મહિલાએ તેની જેઢાણી અને પતિને વાત કરી હતી. આ દુષ્કર્મની ઘટના બાદ મહિલાને કેશોદ સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ આધારે પંચાળા ગામના રણજીત બધાભાઈ પરમાર વિધ્ધ ૬૪ (૧) ૧૧૫ (૨) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ ધટના અંગે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવ તપાસ ચલાવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech