ખંભાળિયા નજીક ઈનોવા કારની હડફેટે મહિલાનું મૃત્યુ

  • June 06, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે ૨૦ કિલોમીટર દૂર લીંબડી જતા હાઈવે માર્ગ પર આવેલા સીદસરા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૧૩ એ.એચ. ૭૩૧૫ નંબરની એક ઈનોવા કારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા જી.જે. ૦૭ એ.ટી. ૧૬૩૨ નંબરની એક રીક્ષાને અડફેટે લેતા આ રીક્ષામાં બેઠેલા વિજયાબેન જીવનભાઈ સિદ્ધપુરા નામના લુહાર મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત રીક્ષામાં જઈ રહેલા વિજયાબેનના પુત્ર કમલેશભાઈ, તેમના પત્ની તથા તેમના પુત્રીને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સાથે રીક્ષા ચાલકને પણ ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતક વિજયાબેનના પુત્ર કમલેશભાઈ જીવનભાઈ સિધ્ધપુરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઈનોવા કાર સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
**
વિકાસગૃહ રોડ પર બાઇકની ટકકરમાં યુવાનને ફ્રેકચર
જામનગરના ગોલ્ડનસીટી, લોટસ-૨ એપાર્ટમેન્ટ, રુમ નં. ૪૦૨માં રહેતા નાસ્તાની રેંકડીવાળા વિશ્ર્વરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૨૫) નામનો યુવાન ગત તા. ૨ના રોજ વિકાસગૃહ ક્રોસ રોડ પાસે પોતાની મોટરસાયકલ નં. જીજે૧૦ડીકે-૯૧૩૭ લઇને જતા હતા ત્યારે બાઇક નં. જીજે૧૦ડીજી-૪૨૦૯ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ઠોકર મારતા વિશ્ર્વરાજસિંહ રોડ પર પડી જતા હાંસડીના ભાગે ફ્રેકચર અને ગોઠણમાં છોલછાલ જેવી ઇજા પહોચી હતી, આથી તેમણે બાઇકચાલક જામનગરના આનંદ કિશોર પારેજીયાની સામે ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application