'મેક-અપ વિના ખબર નથી પડતી કે તે કંગના છે કે કંગનાની માતા’... કોંગ્રેસ નેતાએ આવું કેમ કહ્યું

  • September 05, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કંગના આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. ખેડૂતો વિરુદ્ધના નિવેદનોથી શરૂ થયેલી કંગનાની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. આ નિવેદન બાદ કોંગ્રેસ મંડીના સાંસદ પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મહેસૂલ મંત્રી જગત સિંહ નેગીએ કંગના પર નિવેદન આપ્યું છે. મંત્રીના આ નિવેદનથી વિવાદ સર્જાયો હતો. જો કે આ પછી તેણે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ પણ આપ્યું છે.


હિમાચલ સરકારના મંત્રી જગત સિંહ નાગીએ ગઈકાલે કહ્યું હતું કે, 'બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે દુર્ઘટનાના થોડા દિવસો પછી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કારણ કે વરસાદમાં તેનો મેક-અપ બગડી જતો હતો.' બાકીના સાંસદો અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે આખી રાત ઘટનાસ્થળે જ રહ્યા હતા. તેણે કહ્યું, વરસાદમાં ન આવવું જોઈતું હતું કારણ કે તેનો મેક-અપ બગડી જશે. આવી સ્થિતિમાં, તે ઓળખવું મુશ્કેલ હશે કે તે કંગના છે કે તેની માતા.


મંત્રી જગત સિંહ નેગીની સ્પષ્ટતા

નેગાના નિવેદન પર વિવાદ વધવા લાગ્યો ત્યારે હિમાચલ પ્રદેશના મંત્રી જગત સિંહ નેગીએ પોતાના મેક-અપ નિવેદન પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, 'ભાજપના લોકો દરેક નિવેદનને વિકૃત કરવા માટે જાણીતા છે. મેં કંગનાનું અપમાન નથી કર્યું. તે એક એવો સમય હતો કે તે આવી દુર્ઘટના સમયે તે સ્થળની મુલાકાત લેતી ન હતી.


હંમેશા મહિલાઓનું સન્માન કરો - મંત્રી

તેણે આગળ કહ્યું, 'તેના બદલે તે ટ્વિટ કરી રહી છે કે ધારાસભ્યો અને અધિકારીઓ તેને કહી રહ્યા છે કે હિમાચલમાં હવામાન ખરાબ છે, ત્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે. તો રેડ અને ઓરેન્જ એલર્ટને કારણે સ્થળની મુલાકાત ન લેવી અને સંસદીય મતવિસ્તારમાં મૃત્યુ થાય ત્યારે પોતાની જવાબદારીથી દૂર રહેવું, તેમની સંવેદનશીલતા ક્યાં છે? મેં હંમેશા મહિલાઓનું સન્માન કર્યું છે, આ મહિલાઓનું અપમાન નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application