ગુજરાતમાં કેનાલમાં કાર ખાબકવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે થરાદ નજીક દેવપુરા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં ત્રણ બાળકો અને એક પુરુષના સહિત 4 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે નગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, કાર નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં ત્રણ બાળકો અને એક પુરુષનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે.
બે દિવસ પહેલા સાણંદ પાસે કાર કેનાલમાં ખાબકી હતી
બે દિવસ પહેલા ગાંધીનગરનો રબારી પરિવાર મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે સાણંદ નજીકના વિરોચનનગરમાં તેમની ક્રેટા કાર રાતના અંધારામાં કેનાલમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલાં કર્યું મોંઘું પછી કરી દિધુ સસ્તું...ગોલ્ડ પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની આ કેવી રમત ચાલી રહી છે?
April 26, 2025 11:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech