ગીર સોમનાથના ધારાસભ્ય સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા પોરબંદર જિલ્લા કોળી સેના દ્વારા માંગ થઇ છે.
પોરબંદર જિલ્લા કોળી સેનાના પ્રમુખ મનોજભાઇ મકવાણા સહિત યુવાનોએ પાઠવેલા પત્રમાં જણાવ્યુ હતુ કે સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા અને પ્રભાસપાટણ મોટા કોળીવાડાના પટેલ દિનેશભાઇ બામણીયા તથા સમાજના ૪૦ જેટલા લોકો ઉપર ગીરસોમનાથ પોલીસ દ્વારા થયેલી ખોટી ફરિયાદ કરવા તથા લાગતા વળગતા અધિકારી ઉપર કાર્યવાહી કરવા માંગ છે.
ગત તા. ૪-૪-૨૫ને શુક્રવારના રોજ સોમનાથ મંદિર પાસે આવેલ શંખસર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘર પર ડીમોલીશન થતા વિસ્તારના કોળીસમાજના યુવાનેતા અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા સ્થળ પર જઇ તંત્ર સાથે ગરીબ લોકોના પ્રતિનિધિ તરીકે વાત કરવા જતા ગીર સોમનાથ જિલ્લા કલેકટરના ઇશારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી અને તેમની ઉપર ખોટી ફરિયાદ કરી બદનામ કરવાનું કાવતરુ રચવામાં આવ્યુ છે તેમજ ગીર સોમનાથ પોલીસ દ્વારા જે ધારાસભ્ય સામે વ્યવહાર કરવામાં આવ્યો છે તેથી ગુજરાત કોળી સમાજ તથા ત્યાંના લોકો ખુબજ નારાજ છે. ડીમોલીશનના હુકમ વગર તંત્ર ડીમોલીશન કરવા ગયુ અને ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા ત્યાં લોકોના પ્રતિનિધિ તરીકે તંત્ર સાથે વાત કરાવી એ પણ ગુનો છે ત્યારે એવું સાબિત થાય છે કે દેશમાં લોકશાહી પણ મરણ પથારીએ છે. જો આ ફરીયાદ પાછી ખેંચવામાં નહીં આવે અને આમા સંડોવાયેલા અધિકારી પર કાયદેસર કાર્યવાહી કરવામાં નહી આવે તો ગુજરાતમાં ઠેર-ઠેર જગ્યા ઉપર કોળીસમાજ દ્વારા ગાંધીજીના ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને ન્યાયતંત્રના દ્વાર ખટખટાવવામાં આવશે. આપને નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે સોમનાથ ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા અને પ્રભાસપાટણ કોળીવાડના પટેલ દિનેશ બામણીયા તથા અન્ય ૪૦ લોકો સામે જે ખોટી ફરિયાદ છે તે પાછી ખેંચે અને સંડોવાયેલ અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરે વધારામાં ગુજરાતના ધારાસભ્ય ઉપર પોલીસ દ્વારા આવી ખોટી ફરિયાદ કરવામાં આવશે તો સામાન્ય માણસ ઉપર શું ન થઇ શકે? તેમ જણાવીને કોળીસેનાના પ્રમુખ મનોજભાઇ મકવાણા, હેમંતભાઇ મોકરીયા, ભગવાનજીભાઇ ચાવડા, હિતેશભાઇ વાજા, સંજયભાઇ સોલંકી, દિલીપભાઇ બામણીયા, કેશુભાઇ બામણીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech