નોટબુકમાં 1પ ટકા, પાઠ્ય પુસ્તકોમાં પ ટકાનો વધારો થતા વાલીઓનું બજેટ ખોરવાયું
શહેરની તમામ શાળાઓ શ થઇ ગઇ છે અને શાળા શ થવાની સાથે જ વાલીઓ મોટી સંખ્યામાં પાઠ્ય પુસ્તક, યુનિફોર્મ, ચોપડાઓ વિગેરેની ખરીદારી કરવા સ્ટેશનરીની દુકાને જઇ રહ્યા છે, સ્ટેશનરીની દુકાનોમાં સવારથી સાંજ સુધી ખુબ ઘટાડી રહે છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠ્ય પુસ્તકોમાં અને ચોપડાઓમાં ભાવવધારો ઝીકાયો છે જેથી વાલીઓના મહિનાનું બજેટ ખોરવાયું છે અને કેટલીક સ્કૂલો દ્વારા ચોક્કસ દુકાનોથી જ માલ ખરીદવા જણાવવામાં આવે છે તેવી ફરિયાદ મળી છે.
લોકોના જણાવ્યા અનુસાર હાલના દિવસોમાં રણજીત રોડ, રણજીતનગર, કૃષ્ણનગર, ખંભાળીયા ગેઇટ વિગેરે સ્થળો પરની સ્ટેશનરીની દુકાનોમાં દુકાન ખુલ્લે ત્યારથી બંધ થાય ત્યાં સુધી વાલીઓની લાંબી લાઇનો હોય છે.
વાલીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠ્યપુસ્તકોમાં અને ફૂલસ્કેપના ચોપડાઓમાં ભાવવધારાનો સામનો કરવો પડ્યો છે, નોટબુક ફૂલસ્કેપમાં 1પ ટકાનો વધારો થયો છે અને પાઠ્યપુસ્તકમાં પાંચ ટકાનો વધારો થયો છે અને ગયા વખત કરતા પેજ ઘટાડીને ભાવવધારી દેવામાં પણ આવ્યા છે.
અમુક ખાનગછી શાળાઓ દ્વારા વાલીઓને એવું કહેવામાં આવે છે કે, પાઠ્યપુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મ અમુક ચોક્કસ દુકાનેથી જ ખરીદવો અને આવી અમુક ચોક્કસ દુકાનોમાં યુનિફોર્મના અને પાઠ્ય પુસ્તકોના ભાવ વધારીને વહેચે છે જેથી વાલીઓને આર્થિક નુકશાન થાય છે.
ધો. 1 થી પ ના પુસ્તકોનો સેટ 3પ00 નો થાય છે, જ્યારે ધો. 6 થી 1ર ના પાઠ્યપુસ્તકોનો સેટ 1800 થી ર300 સુધીનો થાય છે અને વાલીઓનો એવો આગ્રહ છે કે આ સેટ ર થી પ ટકાનો ઘટાડો કરવો જોઇએ, જેથી કરીને તેઓનું બજેટ ન ખોરવાઇ અને આ ઉપરાંત સ્કૂલ બેગ, સ્કૂલ બુટ, યુનિફોર્મ વિગેરેના ભાવોમાં પણ ઘટાડો કરવો જોઇએ તેવી લોકમાંગ વાલીઓમાં ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech