ત્રણ દિવસમાં જામનગર શહેરમાંથી સાત વન્ય જીવોનું રેસ્કયુ

  • December 12, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પટેલકોલોની વિસ્તાર સુધી ઘુસી આવેલ નીલ ગાય: મિલ્ટ્રી એરિયામાંથી ઘાયલ નીલ ગાયના બચ્ચાને ફોરેસ્ટ ખાતાએ બચાવ્યા

જામનગર વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં સાત શેડ્યુલ એક કક્ષા વન્યો જીવોનું રેસ્ક્યુ કરી અને સારવાર આપવામાં આવી છે, અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં વન્યજીવો ઘુસી આવતા હોવાનું નોંધાયું છે, થોડા અરસા પહેલા શરુ સેકશન રોડ પર પંચવટી ગૌ શાળા સુધી નીલ ગાય ઘુસી આવી હતી અને લોકોમાં કુતુહલ પેદા થયું હતું, શહેરોની સતત વધી રહેલી હદ-મર્યાદાના કારણે જંગલ વિસ્તાર ટુંકા થતાં જાય છે પરીણામે આગામી વર્ષોમાં પણ વધુ પ્રમાણમાં વન્યજીવો શહેરોમાં જોવા મળી શકે છે.
જામનગર પટેલ કોલોની વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ પાસે વન્ય જીવ નીલ ગાયને રેસક્યુરી વન વિભાગના અર્બન વાઈડ લાઈફ ડિસ્પેન્સરી એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે સારવાર માટે મોકલવામાં આવેલ છે.
છેલ્લા બે દિવસમાં વન વિભાગ દ્વારા લાલપુરના મોડપર ગામમાં કુવા પડી ગયેલ જંગલી ભૂંડ અને કૂવામાંથી બહાર કાઢી મુક્ત કરેલ છે તેમજ જામનગરના નાની માટલી ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોરને ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવેલી છે, બેડેશ્વર વિસ્તારમાંથી વન્યજીવ શિયાળનું રેસ્ક્યુ કરીને જોવા મળતા જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે મુક્ત કરેલ છે.
ઉપરાંત જામનગરના મિલેટ્રી એરિયામાંથી નીલગાયના બચ્ચાને ઇજાગ્રસ્તમાં રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી છે તેમજ સરમત ગામમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત હાલતમાં હોય જેનું રેસ્ક્યુ કરી અને વન વિભાગ એ નવનિર્મિત અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મર એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application