ધો. છની વિધાર્થિની, નવોઢા અને પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

  • September 09, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસોના બનાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં એક તણી, નવોઢા અને ત્રણ પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી.
બેટી ગામે રહેતી ખેન હનીફભાઇ ચલાગા (ઉ.વ.૧૩) નામની તણીએ ગત રાત્રીના સાડા દશેક વાગ્યે ઘરે હતી ત્યારે એસિડ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. ખેન બે ભાઈ એક બહેનમાં વચેટ છે અને ધો.૬માં અભ્યાસ કરે છે. તેના પિતા હાનભાઇ કારખાનામાં મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પિતાએ પાણી ઢોળવા બાબતે ઠપકો આપતા વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું હતું. આગળની તપાસ એરપોર્ટ પોલીસે હાથ ધરી છે.
નાગેશ્વરમાં નવોઢાએ ફિનાઈલ પીધું
જામનગર રોડ પર નાગેશ્વરમાં પટેલ ચોક પાસે સૈનિક સોસાયટીમાં રહેતી સેજલબેન કલ્પેશભાઈ રાયઠઠા (ઉ.વ.૨૨) નામની નવોઢાએ રાત્રીના નવેક વાગ્યે ઘરે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી હતી. તેણીના લ થયાને સાતેક મહિનાનો સમય થયો છે. ફિનાઈલ પીવા પાછળનું કારણ જાણવા પોલીસે નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.
લમીનગરમાં પરિણીતાએ એસિડ પીધું
લમીનગર શેરી નં–૩માં પ્રજાપતિ વાડી પાસે રહેતા સનબેન નરેન્દ્રભાઈ મહિડા (ઉં.વ.૨૮) નામની પરિણીતાએ રાત્રીના ઘરે હતી ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડાતા બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. તેણીના લ થયાને નવેક વર્ષનો સમય થયો છે અને સંતાનમાં ત્રણ પુત્રી એક પુત્ર છે. આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ હઠળ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application