ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલ્વે મારફતે દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે જોયું હશે કે ટ્રેનના કોચ અલગ-અલગ વર્ગના હોય છે. જેમ કે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હોય છે. પરંતુ શું તમે જોયું છે કે તમામ કોચમાં 4 દરવાજા હોય છે. પરંતુ જનરલ કોચમાં કુલ 6 દરવાજા હોય છે. આવું કેમ?
ભારતમાં દરરોજ લાખો લોકો ભારતીય રેલ્વે મારફતે મુસાફરી કરે છે. પરંતુ જ્યારે કોઈપણ મુસાફરને ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી કે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવી હોય તો તે પેસેન્જર સૌથી પહેલા ટિકિટ રિઝર્વેશન કરાવે છે. કારણકે આ વર્ગોમાં ટિકિટ રિઝર્વેશન વગર સીટ ઉપલબ્ધ થતી નથી. પરંતુ જનરલ કોચમાં મુસાફરી કરવા માટે માત્ર ટિકિટની જરૂર છે. અહીં કોઈ રિઝર્વેશન નથી. સરળ ભાષામાં સમજીએ કે જનરલ કોચમાં સીટ મેળવવા માટે વહેલા તે પહેલાની ફોર્મ્યુલા કામ કરે છે. કારણકે આમાં કોઈ સીટ રિઝર્વેશન કરતું નથી.
હવે દેશમાં એવી ઘણી ટ્રેનો દોડી રહી છે. જેમાં તમામ કોચ એસી છે. આ ટ્રેનોમાં કોઈ પણ વ્યક્તિ રિઝર્વેશન વગર મુસાફરી કરી શકશે નહીં પરંતુ સામાન્ય એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોમાં જનરલ કોચ હોય છે. ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપર કોચમાં એક તરફ બે દરવાજા અને બીજી બાજુ બે દરવાજા હોય છે. જો કે મુસાફરો હંમેશા પ્લેટફોર્મની બાજુના દરવાજાનો ઉપયોગ કરે છે પરંતુ જનરલ કોચમાં એક તરફ ત્રણ દરવાજા હોય છે.
જનરલ કોચ
જનરલ કોચમાં કોઈ રિઝર્વેશન નથી હોતું. તમે જોયું હશે કે તેમાં ત્રણ દરવાજા હોય છે. તેની પાછળનું કારણ એ છે કે સ્લીપર અને એસી કોચમાં સીટો આરક્ષિત છે. આમાં મુસાફરોની સંખ્યા નિશ્ચિત છે. તેથી બોર્ડિંગ અને ડીબોર્ડિંગ માટે બે દરવાજા આપવામાં આવ્યા છે. પરંતુ જનરલ કમ્પાર્ટમેન્ટ સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે. આમાં મુસાફરોની સંખ્યા નક્કી નથી. તેથી મુસાફરોની સુવિધા માટે તેમાં ત્રણ ગેટ આપવામાં આવ્યા છે. આ ડિઝાઇન મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવી છે. કારણકે તમે ઘણી વખત જોયું હશે કે અનરિઝર્વ્ડ કોચમાં ઘણી ભીડ હોય છે. માટે જ્યારે ત્રણ દરવાજા હોય ત્યારે મુસાફરો માટે ઉતરવું સરળ બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech