જસદણમાં રહેતા કોળી આધેડને તેના સગા પુત્રએ ધોકાના ઘા ફટકારી તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. દીકરાનું સગપણ થઈ ગયું હોય તેણે લની વાત કરતા પિતાએ કહ્યું હતું કે, મોટી બહેનના લ થયા બાદ તારા લ કરાવીશ જેથી પુત્ર ઉશ્કેરાઇ હત્પમલો કર્યેા હતો. આ દરમિયાન નાના પુત્રએ પણ પિતાને માર માર્યેા હતો. આ મામલે આધેડની ફરિયાદ પરથી તેના બંને સગા પુત્રો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના પોલારપર રોડ પર ગજાનદં સોસાયટી પાછળ રહેતા મનસુખભાઈ નાનજીભાઈ સાકરીયા (ઉ.વ ૪૯) દ્રારા જસદણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પોતાના સગા પુત્ર ગૌતમ અને જયેશના નામ આપ્યા છે. કોળી આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારના તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના પુત્ર ગૌતમ કે જેની ગત વર્ષે સગાઈ નક્કી કરી હતી અને આ વર્ષે તેના લ કરવાના હતા. ગૌતમે મનસુખભાઈ પાસે આવી કહ્યું હતું કે, મારા લ આ વર્ષે કરાવી દો જેથી મનસુખભાઈએ કહ્યું હતું કે, તારી મોટી બહેન રેખાના લ થયા પછી જ તારા લ કરવાના છે અને રેખાના લ થયા પછી પૈસા વધશે તો તમારા લ કરીશ તેમ વાત કરી હતી. જેથી પુત્ર ગૌતમ ઉશ્કેરાયો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારા લ કેમ નથી કરાવી દેતા? તેમ કહી લાકડાના ધોકા વડે હત્પમલો કરી તેમના પગમાં ધોકાના ઘા ફટકારી દીધા હતા. દરમિયાન નાનો પુત્ર જયેશ પણ આવી જતા તેણે પણ પિતાને ઢીકાપાટુનો માર માર્યેા હતો. બનાવની જાણ ફરિયાદીના સાળાના દીકરા કલ્પેશને થઈ જતા તે અહીં પહોંચ્યો હતો અને આધેડને વધુ મારામાંથી બચાવ્યા હતા. ત્યારબાદ તેમને પ્રથમ આટકોટ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં તેમના બંને પગમાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું.
કોળી આધેડે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પાંચેક દિવસ પૂર્વે મારી પત્ની તથા મારી દીકરી પ્રસંગમાં ગઈ હોય અને ઘરે મોડા આવતા મેં તેને રાત્રીના સમયે ઘર બહાર રહેવાનું કહ્યું હતું આ આ બાબતનો ખાર રાખીને પણ ગૌતમે આ હત્પમલો કર્યેા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.આધેડની ફરિયાદ પરથી પોલીસે ફરિયાદીના બંને પુત્રો સામે આઇપીસીની કલમ ૩૨૩,૩૨૫,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા, હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
July 02, 2024 07:44 PMધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાયો, હેઠવાસના આ ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ
July 02, 2024 07:36 PMયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech