જ્યારે પણ પ્લેનમાં મુસાફરી કરો છો ત્યારે ફ્લાઇટ ઉપડતા પહેલા એર હોસ્ટેસ અથવા અન્ય ફ્લાઇટ એટેન્ડન્ટને મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરવા અથવા તેને ફ્લાઇટ મોડમાં સેટ કરવાનું કહેવામાં આવે છે. જો પ્લેનમાં મુસાફરી કરી હોય તો આનો અનુભવ થયો જ હશે. ઘણા લોકો આ વાતથી વાકેફ છે પરંતુ ઘણા લોકો એવા છે જેઓ નથી જાણતા કે આવું કેમ થાય છે.
એક પાયલોટે સોશ્યિલ મીડિયા પર માહિતી શેર કરી કે પ્લેન ટેકઓફ કરતા પહેલા મોબાઈલ ફોન કેમ સ્વીચ ઓફ કરવામાં આવે છે. જે પાયલોટ વતી આ માહિતી શેર કરવામાં આવી હતી તે સોશિયલ મીડિયા પર @perchpoint તરીકે ઓળખાય છે. પાયલોટે પોતાના વીડિયોમાં પ્લેનમાં ફ્લાઇટ મોડ વિશે વિગતવાર માહિતી આપી હતી.
ફ્લાઇટ મોડ શું છે?
મોબાઈલ ફોન અથવા સ્માર્ટફોનમાં જોવા મળતો ફ્લાઈટ મોડ એ એક એવી સુવિધા છે જેમાં ટાવર અથવા સેટેલાઈટ્સથી આવતા તમામ નેટવર્ક ડિસ્કનેક્ટ થઈ જાય છે. આ સેટિંગ લાગુ કરતાંની સાથે જ કોઈ કૉલ કે મેસેજ કરી શકશો નહીં અને કૉલ-મેસેજ પ્રાપ્ત પણ નહીં કરી શકો. જ્યારે નેટવર્કને ડિસ્કનેક્ટ કરવાની વાત આવે છે, ત્યારે જ આ મોડનો ઉપયોગ થાય છે.
પાયલોટે કહ્યું કે જો ઉડાન દરમિયાન ફોનમાં એરપ્લેન કે ફ્લાઈટ મોડ સેટ નહીં કરો તો ન તો પ્લેન આકાશમાંથી પડશે અને ન તો પ્લેનની ઓનબોર્ડ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાશે પરંતુ એવી સંભાવના છે કે જો ફોન ચાલુ રહે છે અને તે ટાવર્સના નેટવર્ક સાથે જોડાયેલ છે તો તે પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેના રેડિયો સંચારમાં દખલ કરી શકે છે.
પાયલોટે કહ્યું કે જો પ્લેનમાં 100 કે 150 લોકો સવાર હોય તો કેટલાક લોકો એવા પણ હોય શકે છે જેમના ફોન રેડિયો ટાવર સાથે જોડવાનો પ્રયાસ કરે છે. સ્માર્ટફોનમાંથી આવતા રેડિયો તરંગો પાયલટના હેડસેટમાં રેડિયો તરંગોને ખલેલ પહોંચાડી શકે છે અથવા તેમની દિશા બદલી શકે છે. આ કારણે મુસાફરોને ટેક ઓફ કરતા પહેલા તેમના મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડ પર રાખવાનું કહેવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech