સોનાક્ષી સિન્હા તે ઘર કેમ વેચી રહી છે, જ્યાં તેણે લગ્ન કર્યા હતા?  જાણો શું છે કહાની

  • August 23, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનાક્ષી સિન્હા આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. એવા અહેવાલો છે કે અભિનેત્રી મુંબઈમાં તેનું આલીશાન ઘર વેચી રહી છે. નોંધનીય છે કે અભિનેત્રીએ 23 જૂનના રોજ બાંદ્રા વેસ્ટ સ્થિત તેના ઘરે તેના લવ ઓફ લાઈફ ઝહીર ઈકબાલ સાથે લગ્ન પણ કર્યા હતા.


લગ્નના થોડા જ દિવસો બાદ સોનાક્ષીએ પોતાનું ઘર વેચવાના સમાચારને કારણે બધાને ચોંકાવી દીધા છે અને દરેક વ્યક્તિ આનું કારણ જાણવા માંગે છે. જાણો શા માટે સોનાક્ષા પોતાની કમાણીથી ખરીદેલું પહેલું ઘર વેચી રહી છે.


સોનાક્ષી સિંહા કેમ વેચી રહી છે પોતાનું ઘર?

અહેવાલ મુજબ સોનાક્ષીએ લગ્ન બાદ હવે નવું ઘર ખરીદ્યું છે. જો કે અભિનેત્રી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. રિપોર્ટ અનુસાર, સોનાક્ષીની નજીકના એક સૂત્રએ અભિનેત્રીના ઘર વેચવાનું કારણ જણાવ્યું છે. સૂત્રએ કહ્યું, "સોનાક્ષીએ એ જ બિલ્ડિંગમાં એક મોટું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જે ઝહીર ડેવલપ કરી રહ્યો છે."


સોનાક્ષીના મિસ્ટર હસબન્ડ ઝહીર ઈકબાલે ધ નોટબુક (2019) થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમના પરિવારનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે.


સોનાક્ષીએ પોતાના ઘરને ખૂબ જ ખાસ ગણાવ્યું હતું


​​​​​​​ગયા વર્ષે દિવાળીના અવસર પર સોનાક્ષીએ તેના ઘરની એક ઝલક શેર કરી હતી. આ ઘર તેના માટે ખૂબ જ ખાસ હતું કારણકે આ તેણે પોતાની કમાણીથી ખરીદેલું પહેલું ઘર હતું. સોનાક્ષીએ કહ્યું હતું કે, “મારા પિતા (શત્રુઘ્ન સિન્હા)ના કારણે જ હું મારું પોતાનું ઘર ખરીદવા માંગતી હતી. પટનાથી મુંબઈ આવ્યા પછી તેણે ખરીદેલા પ્રથમ ઘર વિશે તે પ્રેમથી વાત કરે છે, જે તેમની પાસે આજે પણ છે. એ બેન્ડસ્ટેન્ડ (બાંદ્રા)માં 1BHK એપાર્ટમેન્ટ છે. તેમના માટે તે ઘર કોઈ મહેલથી ઓછું નથી. તેમનો ઉત્સાહ જોઈને  હું હંમેશા મારા માટે ઘર ખરીદવા માંગતી હતી અને આ એક ખાસ લાગણી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application