ડીમોલીશન બાદ ધર્મનગરીમાં ઉઠયા સવાલો: કડકડતી ઠંડીમાં સાધુઓની કાચી ઝુપડીઓ પર ફર્યુ બુલડોઝર: સંખ્યાબંધ સ્થળે મોટા માથાઓએ કીંમતી જમીનો પર કરેલા દબાણ તરફ આંખ આડા કાન કરનાર તંત્ર શંકાના ઘેરામાં...
દેવભુમિ દ્વારકામાં ભુતકાળમાં જમીન દબાણને લઇને અનેક પ્રકરણ ચચર્મિાં રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સાધુઓના ઝુપડા પર ફેરવવામાં આવેલા બુલડોઝર પછી વ્યાપક પ્રમાણમાં એવી ચચર્િ જાગી છે કે, આ તંત્રને મોટા દબાણ કેમ દેખાતા નથી? કડકડતી ઠંડીમાં લારી-ઝુપડાનું ડીમોલીશન કરીને મોટો મીર માયર્નિો સંતોષ વ્યકત કરતા તંત્ર સામે લોકોમાં સવાલો ઉઠયા છે.
યાત્રાધામ દ્વારકામાં સરકારી તંત્ર દ્વારા લારી-ઝુપડા પર ડીમોલીશન હાથ ધરાયું હતું, કડકડતી ઠંડીમાં ગરીબ વર્ગના તેમજ સાધુઓની કાચી ઝુપડીઓ પર બુલડોઝર ફરી વળતા તેઓ બેઘર બની ગયા હતાં, બીજી તરફ જગતમંદિરની આસપાસ તેમજ શહેરના હાઇ-વે પર સરકારની લાખો ફુટની જગ્યા પર ભૂમાફીયાઓના પાકા દબાણો તંત્રને દેખાતા નથી, આ પાકા દબાણો કયારે દુર થશે ? તેવો પ્રશ્ર્ન દ્વારકાવાસીઓમાં ઉઠવા પામ્યો છે.
દ્વારકામાં એસડીએમ, પાલીકા તંત્ર અને પોલીસની ટીમ દ્વારા સુદામા સેતુ પાસે ઉભતા લારી-ગલ્લા હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી તેમજ ઇસ્કોન ગેઇટ પાસે ફુટપાથ પર માટલા તેમજ અન્ય કપડાના સ્ટોલો હટાવવા સુચના આપવામાં આવી હતી, જેઓએ સ્વૈચ્છાએ દબાણ નતા હટાવ્યા તેઓને કાચા ઝુપડાઓ અને મંડપો જેસીબી દ્વારા ડીમોલીશન દ્વારા જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. સાથોસાથ ભીક્ષુકોના કાચા ઝુપડા બનાવી વસવાટ કરતા હતાં, તેઓના ઝુપડા પણ ડીમોલીશન દ્વારા હટાવવામાં આવ્યા હતાં, જેના કારણે કડકડતી ઠંડીમાં ભીક્ષુકો આશરા વિનાના લાચાર બની ગયા હતાં.
તાજેતરમાં બેટદ્વારકા ખાતે મોટુ ડીમોલીશન કરાયું હતું, પાકા બાંધાકામો તોડવામાં આવ્યા હતાં, તો એ જ રીતે દ્વારકામાં પણ કેટલાક સ્થળો પર ચોકકસ તત્વો દ્વારા કાં તો જમીન દબાણ કરાઇ છે, કાં તો ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે, પરંતુ તંત્રને એ દબાણો દુર કરવાનું કાં તો સુઝતું નથી, કાં પછી કોઇના દબાણના કારણે આવા દબાણો દુર થતાં નથી.
વગ વિનાના લોકો પર તાકાત દેખાડવાનો સીલસીલો વર્ષોથી ચાલ્યો આવે છે અને શકિતશાળી લોકો સામે ઘુંટણીયા ટેકવી લેવામાં આવતા હોવાનું જાણીતું છે ત્યારે આ વખતે સાધુઓના ઝુપડા તોડવામાં આવ્યા પછી દ્વારકામાં મોટા પ્રમાણમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ધંધાઓ માટે તથા રહેણાંક માટે કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો તરફ બુલડોઝર કયારે ફરે છે તેવા સવાલો ઉઠયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech