T20 વર્લ્ડ કપ પૂરો થતાંની સાથે જ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. આ સાથે તે ટીમ છોડી દેશે પરંતુ તે પહેલા તે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માંગે છે. એટલા માટે ટીમના ખેલાડીઓની સાથે દ્રવિડ પણ સખત મહેનત કરી રહ્યો છે. દ્રવિડ ખેલાડીઓના કૌશલ્યથી લઈને ટીમના આયોજન સુધી તમામ બાબતો પર કામ કરી રહ્યો છે. તે બાર્બાડોસમાં યોજાનારી ટીમની પ્રથમ સુપર-8 મેચ માટે કેપ્ટન રોહિત શર્મા સાથે અફઘાનિસ્તાન સામે રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન ભારતીય ટીમ સાથે જોડાયેલા એક સવાલ પર તે ગુસ્સે થઇ ગયો હતો.
દ્રવિડને કઈ બાબત પર ગુસ્સો આવ્યો?
રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે 2023 ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે તે ટુર્નામેન્ટમાં તમામ ટીમોને હરાવી હતી અને એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી હતી. જોકે અંતિમ દિવસ ટીમ માટે સારો રહ્યો ન હતો અને ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારે તમામ ભારતીય ચાહકોને નિરાશ કરી નાખ્યા હતા. જેની યાદો હજુ પણ તાજી છે. અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક રિપોર્ટરે ટીમ ઈન્ડિયાને આવી જ હારની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે દ્રવિડ ગુસ્સે થઈ ગયો.
1997માં ભારતીય ટીમ બાર્બાડોસના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ હારી ગઈ હતી. જ્યારે દ્રવિડને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે અહીં તેની કેટલીક સારી યાદો પણ છે. આના પર તેને પૂછવામાં આવ્યું કે શું તે કેટલીક નવી યાદો બનાવવા ઈચ્છશે. આના પર દ્રવિડે પલટવાર કર્યો કે તે અહીં કંઈ કરવા નથી આવ્યો. રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે તે જૂની વસ્તુઓનો બોજ નથી રાખતો. આપણે જે વીતી ગયું છે તેનાથી આગળ વધીએ છીએ અને નવી વસ્તુઓમાં વ્યસ્ત રહીએ છીએ અને વર્તમાનમાં બની રહેલી વસ્તુઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તેમણે કહ્યું કે 1997માં જે થયું તે અત્યારે ચિંતાનો વિષય નથી. દ્રવિડના મતે, 1997માં જે કંઈ પણ થયું તે અફઘાનિસ્તાન સામેના પરિણામને બદલશે નહીં. તેથી, ટીમ ઈન્ડિયા માત્ર સુપર-8માં તમામ મેચો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 14 વર્ષ બાદ ભારતીય ટીમ આ મેદાન પર અફઘાનિસ્તાન સાથે ટકરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech