ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વાવ વિધાનસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું છે ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર પછી અપક્ષ તરીકે માવજીભાઈ પટેલ મેદાનમાં ઉતયર્િ છે બંને રાજકીય પક્ષો દ્વારા માવજીભાઈ પટેલને મનાવવા માટેના એડી ચોટીના પ્રયાસ છતાં માવજીભાઈ પટેલ નહીં માનતા ત્રિ પાંખીયો જંગ નિશ્ચિત બન્યો છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે હવે ચિત્ર સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસ અને ભાજપ્ના સત્તાવાર ઉમેદવારો સાથે હવે અપક્ષ તરીકે માવજીભાઈ પટેલ પણ મેદાનમાં રહ્યા છે એટલે ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. છેલ્લ ા પાંચેક દિવસથી માવજીભાઇ પટેલને અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર પાછા ખેંચવા માટે ભાજપ્ના જિલ્લ ા, પ્રદેશ સ્તરના આગેવાનોથી માંડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્તરથી સમજાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના અંતિમ દિવસે કુલ 11 ફોર્મ પાછા ખેંચાયા હતા. એમાં એક અપક્ષે માવજીભાઇ પટેલ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હોવાથી એમના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત તથા ભાજપ્ના સ્વરૂપજી ઠાકોર વચ્ચેની મુખ્ય સ્પધર્મિાં હવે અપક્ષ માવજીભાઇ પટેલ પોતાની અપક્ષ ઉમેદવારી સાથે યથાવત રહેતાં ત્રિપાંખિયો જંગ રસપ્રદ બન્યો છે.
13નવેમ્બરના રોજ યોજાના વાવ પેટા ચૂંટણી માટે 25 ઓક્ટોબરના રોજ કુલ 21 ઉમેદવારોએ ફોર્મ ભયર્િ હતા. ફોર્મ ચકાસણી બાદ 30 ઓક્ટોબરને બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેચવાના થતા હતા.
ભાજપ માટે વૈકુંઠ નાનું અને ભગત જાજા એવો ઘાટ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી ત્યારથી જ સર્જાયો હતો. ઠાકોર સમાજ પ્રભાવી આ બેઠક પર ભાજપ્ના લગભગ પચાસેક જેટલા દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાના સમર્થકો મારફતે દાવા રજૂ કયર્િ હતા. આને કારણે ભાજપે 25 ઓક્ટોબરના બપોરે પોણા ત્રણ વાગ્યા સુધી માવજીભાઇ સહિત છ ઉમેદવારોને ફોર્મ ભરીને તૈયાર રહેવા સૂચના આપી હતી. કોંગ્રેસે તેના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરની ઈરછા મુજબ ગુલાબસિંહ રાજપૂતની જાહેરાત કરતા ભાજપે તરત જ સ્વરૂપજી ઠાકોરને મેન્ડેટ આપી દીધો હતો.
જોકે,તે વખતે સ્વરૂપજી ઠાકોર, માવજીભાઇ સહિત છ ઉમેદવારોએ ભાજપ્ના ઉમેદવાર તરીકે ફોર્મ ભયર્િ હતા. જોકે, માવજીભાઇએ ભાજપ્ની ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવારી કરવી એ નક્કી જ કરી લીધું હતું. સ્થાનિક હોવા ઉપરાંત પોતાના સમાજના મતદારો અને સમર્થકોના કહેવાથી ઉમેદવારી યથાવત રાખવાની જાહેરાત કરી છે.
છેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માવજીભાઇનું કહેવું છેકે, તેમનો સંપર્ક સ્થાનિક ભાજપ્ના આગેવાનોથી સ્તરેથી પ્રયાસો થયા હતા. આ અંગે માંડીને પ્રદેશના નેતાઓએ કર્યો હતો. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ફોન કરીને તેમને મોટું મન રાખી ઉમેદવારી પાછી ખેંચવા સમજાવ્યા હતા. જોકે, માવજીભાઇએ મુખ્યમંત્રીને વળતો જવાબ આપ્યો કે, તમારે 162 ધારાસભ્યો છે તો એક અપક્ષ જીતશે તો વાંધો શું આવશે! આમ, હવે માવજીભાઇની અપક્ષ ઉમેદવારીથી એમના પ્રભાવી ગામો પર ભાજપ અને કોંગ્રેસના કેટલા મત કપાશે એ તો 23 નવેમ્બરે જાહેર થનારા પરિણામ પરથી સ્પષ્ટ થશે. જોકે, કોંગ્રેસ અને ભાજપ્ની જેમ માવજીભાઈ પણ દિવાળીના દિવસથી પોતાના પ્રચારનો આરંભ કરનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech