જામનગરમાં સોની કામ કરતાં પ્રૌઢનો બીમારીથી કંટાળી જઈ ફીનાઇલ ઘટઘટાવી આપઘાત

  • October 16, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં જલાની જાર, પીપળા ફળી વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતા એક પ્રૌઢએ પોતાની બીમારીથી તંગ આવી જઇ ફીનાઇલ ઘટઘટાવી લીધું હતું, અને આપઘાત કરી લીધો છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જલાની જાર પીપળા ફળી વિસ્તારમાં નિતા નિવાસ નામના મકાનમાં રહેતા અને છૂટક સોની કામ કરતા મહેન્દ્રભાઈ નંદલાલભાઈ ગુસાણી નામના ૫૪ વર્ષના પ્રૌઢ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી પેરેલીસીસ સહિતની બીમારી થી પીડાતા હતા. જેઓએ પોતાની બીમારી થી તંગ આવી જઈ ફીનાઇલ પી લીધું હતું, જેથી તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અશોકભાઈ મહેન્દ્રભાઈએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application