જ્યારે ભારતે 'રવીના ટંડન બોમ્બ'થી પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કારગિલ યુદ્ધની આ તસવીર આજે પણ વાયરલ

  • July 26, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​આજે સમગ્ર દેશ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર આજે એક કારગિલની એક એવી ઘટના જ્યારે ભારતીય સેનાએ અભિનેત્રી રવિના ટંડનના નામે પાકિસ્તાન પર બોમ્બ ફેંક્યો હતો.



આજે 26મી જુલાઈએ સમગ્ર દેશ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિકોના સન્માનમાં દર વર્ષે 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. આ અવસર પર આજે એક કારગિલની એક એવી ઘટના જ્યારે ભારતીય સેનાએ અભિનેત્રી રવિના ટંડનના નામે પાકિસ્તાન પર બોમ્બ ફેંક્યો હતો. જેમાં ભારતીય સેનાની બહાદુરીની વાત સાંભળીને ગર્વ અનુભવશો અને હસવું પણ આવશે. જાણો પાકિસ્તાનમાં અભિનેત્રી રવિના ટંડનના નામે ભારતીય સેનાએ ક્યારે અને શા માટે બોમ્બ ફેંક્યો?


રવિના ટંડન બોમ્બ


આજે 26મી જુલાઈએ ભારત કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. આજે આપણે એ તમામ જવાનોની શહાદત અને બલિદાનને યાદ કરીએ છીએ, જેમના કારણે આજે કારગિલ ભારતનું અભિન્ન અંગ છે અને જેમણે પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ આ લડાઈમાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનું પણ કનેક્શન છે. એ રસપ્રદ વાત છે કે જ્યારે યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના વડાપ્રધાનને જવાબ આપતાં રવિના ટંડનના નામે બોમ્બ ફેંક્યો હતો.


કારગિલ યુદ્ધમાં રવિના ટંડનનું નામ કેમ આવ્યું?


હવે સવાલ એ છે કે કારગિલ યુદ્ધ દરમિયાન રવિના ટંડનનું નામ કેમ સામે આવ્યું. આખી વાર્તા પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે જોડાયેલી છે. તે સમયે ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો હતો, પરંતુ આ દરમિયાન નવાઝ શરીફનું નામ સામે આવ્યું હતું. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે રવિના ટંડન તેમની ફેવરિટ એક્ટ્રેસ છે. આ પછી 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન, જ્યારે ભારત અને પાકિસ્તાન સામસામે હતા, ત્યારે પાકિસ્તાની સૈનિકોએ મજાકમાં ભારતીય સૈનિકોના મૃતદેહોના બદલામાં અભિનેત્રી રવિના અને માધુરી દીક્ષિતને પાકિસ્તાન મોકલવાની માંગ કરી હતી.


ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો


કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની સૈનિકોની માંગ પર એવો જવાબ આપ્યો  જેને પાકિસ્તાન ક્યારેય ભૂલી શકે તેમ નથી. હકીકતમાં  કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં બોમ્બ ફેંક્યો હતો, જેના પર લખ્યું હતું, “રવીના ટંડન તરફથી નવાઝ શરીફ માટે”. આટલું જ નહીં મિસાઈલ પર તેના નામની સાથે હૃદય અને એક તીર પણ બનાવવામાં આવ્યું હતું. તે દિવસોમાં આ ઘટનાની ચર્ચા માત્ર ભારત અને પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ હતી. આ ઘટનાની સાથે જ દરેક અખબારમાં બોમ્બનો ફોટો પણ છપાયો હતો, જેના પર લખ્યું હતું “રવીના ટંડન તરફથી નવાઝ શરીફ માટે”.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application