રાજીનામું આપ્યા પછી અરવિંદ કેજરીવાલ શું ગુમાવશે?  જાણો પૂર્વ મુખ્યમંત્રી બન્યાં બાદ કઈ સુવિધાઓ મળે છે

  • September 17, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ નવા સીએમના નામની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ બાદ હવે આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપશે. પરંતુ શું તમે જાણો છો કે રાજીનામું આપ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ પાસેથી કઈ સુવિધાઓ છીનવાઈ શકે છે અને પૂર્વ સીએમ તરીકે તેમને શું મળશે.


દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વિધાનસભા પક્ષની બેઠકમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી એટલે કે આતિશીના નામને મંજૂરી આપી દીધી છે. અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ અને આતિશી સહિત AAPના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ હાજર છે. એલજી વીકે સક્સેનાએ અરવિંદ કેજરીવાલને એપોઇન્ટમેન્ટ આપી છે. અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે 4.30 વાગ્યે એલજીને મળશે અને રાજીનામું આપશે.


પૂર્વ મુખ્યમંત્રીને મળતી સુવિધાઓ

હવે સવાલ એ છે કે રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલને શું સુવિધાઓ મળશે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલને સરકારી બંગલો, કાર, સીએમ પ્રોટોકોલ સુરક્ષા અને પગાર નહીં મળે. જો કે પૂર્વ મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે.


મુખ્યમંત્રીને શું સુવિધાઓ મળે છે?

અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે કઈ કઈ સુવિધાઓ મળી છે. અરવિંદ કેજરીવાલને દિલ્હીના સીએમ તરીકે 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. તેના રહેવા માટે સરકારી બંગલો, કાર અને ડ્રાઈવર સહિત અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ ખર્ચાઓ માટે ભથ્થું પણ ઉપલબ્ધ છે, જેમાં સુરક્ષા અને મુસાફરીનો પણ સમાવેશ થાય છે. સીએમ પદ છોડ્યા બાદ તેમને માત્ર ધારાસભ્યનો પગાર અને ભથ્થાં જ આપવામાં આવશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application