ગરીબ અને અભણ લોકોને લાલચ આપી તેઓનાઆધાર કાર્ડ સહિતના ડોક્યુ મેન્ટ મેળવી લઈ તેમાં મોબાઈલ નંબર અપડેટ કરી જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યુ હતું. કરોડોના કૌભાંડ મામલે ભાવનગર, પાલીતાણા અને અમરેલીમાં જુદા જુદા ગુના દાખલ કરવામા આવ્યા હતા. જે પૈકી પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના કામે વોન્ટેડ અમીપરાના શખસને પેરોલ ફર્લો ટીમે ઝડપી લીધો હતો.
શહેર અને જિલ્લાના પાલીતાણામાં ગરીબ અને અભણ લોકોના ડોક્યુ મેન્ટ મેળવી લઈ તેમાં મોબાઈલ નંબર અપડેટ કરી જીએસટી કચેરીમાંથી નંબર મેળવી મસમોટુ કરોડોનું કૌભાંડ આચરવામા આવ્યુ હતું. જેના પગલે ભાવનગર શહેર નિલમબાગ પોલીસ મથકમાં જ્યારે અન્ય એક ગુનો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૫/૨૦૨૩ ઈ.પી.કો. કલમ.- ષરહ,ષવર, ૪૬૭, ૪૬૮,૧૨૦ વિગેરે મુજબ નોંધાવા પામ્યો હતો. ઉક્ત કૌભાંડને લઈ સીટની રચના કરવામાં આવી હતી. અને અનેક કૌભાંડીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. દરમિયાન ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના સોહિલભાઇ ચોકિયા, ચંદ્દસિંહ વાળા સહીતનો પોલીસ સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાને બાતમી મળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઉકત જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં- ફરતાં આરોપી યાસીન ઉર્ફે ભાયજી (રહે. અમીપરા, ભાવનગર) મામા કોઠા રોડ વળાંક પાસે રોડ ઉપર ઉભો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરતા નાસતાં-ફરતાં આરોપી યાસીન ઉર્ફે ભાયજી ઇબ્રાહિમભાઇ શમા (ઉ.વ.૪૦ રહે. મસ્જીદ પાસે, અમીપરા, રેલ્વે સ્ટેશન રોડ, ભાવનગર) હાજર મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આપી તે અંગેની જાણ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech