BREAKING NEWS

નકલી દવાના વિરોધમાં વાંકાનેરના મેડિકલ સ્ટોરના ધંધાર્થીઓ આવતીકાલે બધં પાળશે

  • May 19, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને આવતીકાલે તા. ૨૦મી મે ના રોજ ભારતભરના કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનો દ્રારા બંધના એલાનને ટેકો જાહેર કરી મામલતદાર તથા પી.આઈ.ને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
જેમાં વાંકાનેર એસોસિએશનના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિતેષભાઈ, સેક્રેટરી બિપીનભાઈ દોશી, રાજેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના વ્યાપારી એસોસિએશનના આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે પ્રમુખ તથા સેક્રેટરી દ્રારા જણાવાયું હતું કે કોઈપણ દર્દીને ઈમરજન્સી દવાની જરુર પડશે તો વિશેષ વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
વધુમાં જણાવતા કેન્દ્ર સરકાર દ્રારા ઓનલાઈન દવા વેચાણને મંજુરી મળ્યા બાદ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્રારા નિયમોના ભગં સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ડોકટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળવાની શકયતાઓ વધી રહી છે. દર્દીઓની ગોપનીય માહિતીનો દુરુપયોગ તેમજ સમય સીમા પૂર્ણ થયેલી કે નકલી દવાઓના વેચાણનો ભય વધી રહ્યો છે.
આથી જીએસઆર ૮૧૭(ઈ)ને પાછું ખેંચી કડક નિયંત્રણ લાદવાની માગ કરવામાં આવી છે. તેમજ જીએસઆર ૨૨૦(ઈ) તા. ૨૦–૩–૨૦૨૦ હેઠળ સ્પ્યુરિયસ અને નકલી (બનાવટી) દવાઓના મુદ્દે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application