આઈપીએલ 18મી સીઝનમાં બેંગલુરૂએ પંજાબને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં ખેલાડીઓ અને ટીમો પર પૈસાનો વરસાદ થયો. દર વખતની જેમ આ વખતે પણ ચેમ્પિયન ટીમ માલામાલ થઈ જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 20 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપ્યા. ત્યારે, પંજાબ કિંગ્સને 12.5 કરોડ રૂપિયાની એવોર્ડ રકમ મળી. પંજાબના કોચ અને સપોર્ટ સ્ટાફને રનર અપની શીલ્ડ અને આઈપીએળ લિમિટેડ એડિશન વોચ પણ મળ્યા.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)એ આઈપીએલ 2025માં ઇતિહાસ રચી દીધો છે. આરસીબીની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી આઈપીએલ 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં આરસીબીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં આરસીબીની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો આરસીબીના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે આરસીબી આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.
વિરાટ કોહલી રડી પડ્યો
આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું.
કૃણાલ પંડ્યાનો રેકોર્ડ
કૃણાલ પંડ્યા 2017 અને 2025 એમ બે આઈપીએલની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનારો એકમાત્ર ખેલાડી બન્યોઆઈપીએલ 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, 'પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું - 10 વર્ષ, 4 આઈપીએલ ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 આઈપીએલ ટ્રોફી હશે.'
પ્રિયાંશ આર્યની કમાલ
આઈપીએલ 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય આઈપીએલ 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે આઈપીએલ 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન અય્યર
આઈપીએલ 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં આરસીબી માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.
માલ્યાની પોસ્ટ વાઈરલ
આરસીબીના વિજયની સાથે જ સોશિયલ મીડિયા પર ટીમના પહેલા માલિક જે હાલમાં ભાગેડું જાહેર છે તે વિજય માલ્યાની એક ભાવુક પોસ્ટ વાઈરલ થઇ રહી છે. વિજય માલ્યાએ પોસ્ટમાં લખ્યું કે જ્યારે મે આરસીબીની ટીમ બનાવી હતી ત્યારથી મારું સપનું હતું કે આઈપીએલની ટ્રોફી બેંગ્લુરુ આવે. મને તે સમયે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીને ટીમમાં સામેલ કરવાની તક મળી હતી અને આ ખાસ વાત છે કે કોહલી 18 વર્ષથી આરસીબી સાથે જ જોડાયેલો રહ્યો છે. મને એ સન્માન મળ્યું કે મેં ક્રિસ ગેઇલ અને એ.બી.ડિવિલિયર્સ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા. આ બંને ખેલાડીઓ આરસીબીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આખરે આરસીબીએ ટ્રોફી જીતતના હું બધાને આભાર વ્યક્ત કરું છું. જેમણે આ સપનું સાકાર કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech