બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાની ઘણી મેચોમાં વિરાટ કોહલી ફોર્મમાં જોવા મળતો નથી. વર્ષ 2024 પણ કોહલી માટે અત્યાર સુધી સારું સાબિત થયું નથી. કોહલી ન તો બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં કે ન તો ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સારું રમ્યો હતો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ઘણા ટેસ્ટ રેકોર્ડ બનાવ્યા છે, તેથી ચાહકો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેના ફોર્મમાં પાછા ફરવાની અપેક્ષા રાખી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ કોહલીના ફોર્મ વિશે ઘણી વાતો કહી અને વિરાટના ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પ્રવાસ અંગે ભવિષ્યવાણીઓ પણ કરી.
ગાંગુલીએ કોહલી વિશે કરી મોટી ભવિષ્યવાણી
સૌરવ ગાંગુલીનું માનવું છે કે આ સિરીઝ વિરાટ કોહલી માટે ખાસ મહત્વની હોય શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં આ તેનો છેલ્લો ટેસ્ટ પ્રવાસ હોય શકે છે. 36 વર્ષના કોહલી માટે ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમવું મુશ્કેલ બની શકે છે. આ વિશે વાત કરતાં ગાંગુલીએ કહ્યું, "તે એક ચેમ્પિયન બેટ્સમેન છે અને તેણે ઓસ્ટ્રેલિયામાં અગાઉ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ત્યાં 2014માં ચાર સદી અને 2018માં એક સદી ફટકારી હતી. તે આ સિરીઝમાં પોતાની છાપ છોડવા માંગશે અને તેને એ વાતનો અહેસાસ પણ થશે. આ તેનો ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ હોય શકે છે."
ગાંગુલી કોહલીના ખરાબ ફોર્મથી ચિંતિત નથી
સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન પર વધુ ચિંતા વ્યક્ત કરી ન હતી અને કહ્યું હતું કે, "ન્યૂઝીલેન્ડની પીચ બેટિંગ માટે ઘણી મુશ્કેલ હતી પરંતુ કોહલીને ઓસ્ટ્રેલિયામાં સારી વિકેટ મળશે. મને પૂરી આશા છે કે તે આ સિરિઝમાં સારું પ્રદર્શન કરશે."
2023 અને 2024માં કોહલીના ટેસ્ટના આંકડા
વિરાટ કોહલીએ 2023માં 8 ટેસ્ટ મેચ રમી હતી. આ 8 ટેસ્ટ મેચોમાં તેણે 55.91ની એવરેજથી 671 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી અને 2 અડધી સદી સામેલ છે. 2023માં વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 186 રન હતો.
પરંતુ વિરાટ કોહલીનું વર્ષ 2024 ફોર્મના મામલામાં સારું સાબિત ન થયું. કોહલીએ 2024માં 6 ટેસ્ટ મેચ રમી હતી. આ 6 ટેસ્ટ મેચોમાં તેણે 22.72ની એવરેજથી 250 રન બનાવ્યા હતા. જેમાં શૂન્ય સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. 2024માં વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર માત્ર 70 રન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech