રાજસ્થાનના ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ ૧૦ના વિધાર્થીએ અન્ય વિધાર્થી પર છરા માર્યા પછી સાંપ્રદાયિક તણાવ વધી ગયો. ઘટના બાદ ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી અને પથ્થરમારો કર્યેા હતો. પરિસ્થિતિને જોતા ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યાથી આગામી ૨૪ કલાક સુધી ઈન્ટરનેટ બધં કરી દેવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ભટિયાણી ચોહટ્ટા સ્થિત સરકારી શાળામાં છરાબાજીની ઘટના પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે પીડિતને જિલ્લા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ સ્થિર છે.પોલીસે જણાવ્યું કે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો આ ઘટનાનો વિરોધ કરવા માટે શહેરના મધુબન વિસ્તારમાં એકઠા થયા હતા. ટોળાએ પથ્થરમારો કર્યેા અને ત્રણ–ચાર કારને આગ ચાંપી દીધી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
તણાવ વધતાં બાપુ બજાર, હાથીપોળ, ઘંટાઘર, ચેતક સર્કલ અને આસપાસના વિસ્તારોમાં બજારો બધં રાખવામાં આવી હતી. હિન્દુ સંગઠનોના લોકોએ બજારોમાં દુકાનો બધં કરાવી હતી. કેટલાક હિંસક તત્વોએ શોપિંગ મોલ પર પણ પથ્થરમારો કર્યેા હતો.સેંકડો લોકો સરકારી હોસ્પિટલની બહાર એકઠા થયા હતા અને પોલીસે ભીડને વિખેરી નાખી હતી. ઉદયપુરના પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આરોપી ઝડપાઈ ગયો છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત છે અને તમામ પોલીસ અધિકારીઓ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech