મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળની કલમ 177 થી 196 માં દશર્વિેલા ગુનાઓ પૈકી માંડવાળ પાત્ર ગુનાઓ માટે આ કાયદાની કલમ 200 હેઠળ સત્તાની રૂ એ સમાધાન શુલ્ક, સ્થળ દંડ, માંડવાળ કરવાની સત્તા તારીખ 12 સપ્ટેમ્બર 2019 ના જાહેરનામાંથી શહેરી વિસ્તારમાં અને મ્યુનિસિપલ એરિયામાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા પોલીસ ડિપાર્ટમેન્ટ ના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓને આપવામાં આવી હતી.
ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગની કચેરીના કમિશનર દ્વારા આ સંદર્ભે વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓને આવી સતા આપવામાં આવી છે. સરકારે પોતાના નવા સુધારેલા જાહેરનામામા શહેરો અને મ્યુનિસિપલ ટાઉનની મયર્દિા કાઢી નાખી છે.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ લાયસન્સ કે વાહનના પુરા દસ્તાવેજ કાગળ ન હોય, પેસેન્જર વાહનોમાં માલ સામાનની અને માલવાહક વાહનોમાં પેસેન્જરની હેરાફેરી, સત્તાધિકારી સાથે ગેરવર્તન, તેમના હુકમનો અનાદર, માહિતી ન આપવી કે ખોટી આપવી, અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા દેવું જેવી કાયદાની જુદી જુદી કલમના ભંગ બદલ સ્થળ ઉપર દંડ, સમાધાન શુલ્ક અને માંડવાડથી વસૂલવાની સતા ગ્રામ્ય કક્ષાએ આપવામાં આવી છે. આ માટે કયા પ્રકારના ગુનામાં કેટલા દંડની વસૂલાત કરી શકાશે તેનું વિગતવાર કોષ્ટકમાં દંડની રકમ અને ગુનાના પ્રકારની વર્ણવતું પોલીસ ડિપાર્ટમેન્ટને મોકલી દેવામાં આવ્યું છે. મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી કલમો મુજબ હવે ગામડામાં પણ પોલીસ સીધો દંડ વસુલી શકશે અથવા તો સમાધાન શૂલક લઈ શકશે.
ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગના કમિશનર દ્વારા આ સંદર્ભે પરિપત્ર બહાર પાડીને ગાંધીનગર ખાતે ટ્રાફિક બ્રાન્ચના રાજ્ય પોલીસ મહાનિર્દેશકને તે મોકલી આપ્યો છે અને ગ્રામ્ય કક્ષાએ પોલીસ વિભાગ દ્વારા તેની અમલવારી માટે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech