બિહારના શિક્ષણ મંત્રી પ્રોફેસર ચંદ્રશેખરે પટનામાં શ્રી રામચરિતમાનસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બુધવારે પટનામાં નિવેદન આપતી વખતે શિક્ષણ મંત્રીએ શ્રી રામચરિતમાનસને નફરત ફેલાવનાર પુસ્તક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે એક યુગમાં મનુસ્મૃતિ, બીજા યુગમાં રામચરિત્ર માનસ અને ત્રીજા યુગમાં ગુરુ ગોલવલકરના બંચ ઓફ થોટ નફરત ફેલાવતા પુસ્તકો હતા. તેમણે દાવો કર્યો કે રામચરિત્ર માનસમાં એક ભાગ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નીચી જાતિના લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી અને તેઓ શિક્ષણ મેળવ્યા પછી ઝેરી બની જાય છે. હવે આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, બિહારના શિક્ષણ મંત્રી આવું બોલીને નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીને પદ પરથી દૂર કરવા જોઈએ.
શું છે સમગ્ર ઘટના
નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે રામચરિતમાનસને સમાજને વિભાજન કરનાર પુસ્તક ગણાવ્યું હતું. પ્રોફેસર ચંદ્રશેખરે કહ્યું કે રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે સમાજના પછાત, મહિલાઓ અને દલિતોને શિક્ષણ મેળવતા અટકાવે છે. આ તેમને સમાન અધિકારો આપવામાં અટકાવે છે. આરજેડી ક્વોટામાંથી બિહારમાં નીતીશ કુમારની ગઠબંધન સરકારમાં શિક્ષણ મંત્રી બનેલા ચંદ્રશેખરે કહ્યું કે રામચરિતમાનસ પહેલા મનુસ્મૃતિએ પણ સમાજમાં નફરતના જ બીજ વાવ્યા હતા.
વિજય વિજય રૂપાણી આ મામલે પોતાન પ્રતિક્રિયા
બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરના વિવાદિત બયાન પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે બિહારના શિક્ષણ મંત્રી આવું બોલીને નફરત ફેલાવી રહ્યા અને આવા શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવી દેવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech