જામનગરમાં મિલકત વેરો વસૂલવા માટે કડક ઝુંબેશ

  • November 03, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોબાઇલ ટેક્સ વેન ફેરવીને કાર્યવાહી: વેરો નહિ ભરનારાની મિલકત પણ સીલ કરાશે

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા આજથી બાકીદારો પાસેથી મિલકત વેરો વસૂલવા માટેની કડક ઝુંબેશ હાથ ધરવાના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવી છે, અને અલગ અલગ ટુકડીઓ દ્વારા વેરા વસુલાલની ઝુંબેશ શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બાકી વેરો વસૂલવા માટે લોકોને ધક્કા ખાવા ન પડે, તે માટે મોબાઈલ ટેક્સ વેન ને પણ દોડાવવામાં આવી રહી છે.
 જામનગર શહેરમાં વસવાટ કરતા નાગરિકોને મહાનગરપાલિકાની કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે માટે ઓનલાઈન ઉપરાંત મોબાઇલ ટેક્સ વેન પણ દોડાવવામાં આવી રહી છે. અને લોકોના દ્વારે પહોંચી જઈ મહાનગરપાલિકાની ટીમ બાકી રહેતો વેરો વસૂલ કરવા માટે કવાયત કરી રહી છે.
 કેટલાક બાકીદારો કે જેઓ લાંબા સમયથી વેરો ભરતા નથી તેમની પણ અલગથી યાદી તૈયાર કરવામાં આવી છે, અને આવા મિલકત ધારકો જો વેરો ન ભરે તો તેઓની મિલકતને સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application