રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ તેમજ શહેરમાં ઘરવિહોણા ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે આધુનિક સુવિધાયુકત આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, દરમિયાન અમુક લાભાર્થીઓ દ્રારા યોજના અંતર્ગત આવાસો મેળવીને તેમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરવાને બદલે અન્યોને ભાડે આપીને કમાણી કરવાનો ધંધો શ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડતા તાજેતરમાં આ અંગે વિજિલન્સ પોલીસના બંદોબસ્ત હેઠળ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા સાત લેટમાં મુળ માલિકને બદલે ભાડુઆતો મળી આવતા આ તમામ લેટ સીલ કરાયા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આવાસ યોજના શાખાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપ ખાતે આવાસ યોજના વિભાગ દ્રારા વિજિલન્સ પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા કુલ સાત લેટ સીલ કરવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ યથાવત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્રારા વિવિધ વિસ્તારોમાં નિર્મિત આવાસ યોજનાઓમાં મનપા કે ડા દ્રારા નિયમિત સરપ્રાઇઝ ચેકિંગ થતું ન હોય લાભાર્થીઓ દ્રારા આવાસો મેળવ્યા બાદ ભાડે આપવાનો ધીકતો ધંધો શ કરવામાં આવ્યો હોવાનું આવાસ યોજનાઓના રહીશોએ જણાવ્યું હતું. જો નિયમિત ચેકિંગ શ કરાય તો અડધો અડધ કવાર્ટર્સમાંથી ભાડુઆતો મળે તેમ કહેવામાં અતિશયોકિત નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech