રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ તેમજ શહેરમાં ઘરવિહોણા ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે આધુનિક સુવિધાયુકત આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, દરમિયાન અમુક લાભાર્થીઓ દ્રારા યોજના અંતર્ગત આવાસો મેળવીને તેમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરવાને બદલે અન્યોને ભાડે આપીને કમાણી કરવાનો ધંધો શ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડતા તાજેતરમાં આ અંગે વિજિલન્સ પોલીસના બંદોબસ્ત હેઠળ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા સાત લેટમાં મુળ માલિકને બદલે ભાડુઆતો મળી આવતા આ તમામ લેટ સીલ કરાયા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આવાસ યોજના શાખાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપ ખાતે આવાસ યોજના વિભાગ દ્રારા વિજિલન્સ પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા કુલ સાત લેટ સીલ કરવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ યથાવત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્રારા વિવિધ વિસ્તારોમાં નિર્મિત આવાસ યોજનાઓમાં મનપા કે ડા દ્રારા નિયમિત સરપ્રાઇઝ ચેકિંગ થતું ન હોય લાભાર્થીઓ દ્રારા આવાસો મેળવ્યા બાદ ભાડે આપવાનો ધીકતો ધંધો શ કરવામાં આવ્યો હોવાનું આવાસ યોજનાઓના રહીશોએ જણાવ્યું હતું. જો નિયમિત ચેકિંગ શ કરાય તો અડધો અડધ કવાર્ટર્સમાંથી ભાડુઆતો મળે તેમ કહેવામાં અતિશયોકિત નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech