ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ એક અરજી દાખલ કરીને પ્રસ્તાવનામાં બંધારણીય સુધારા દ્રારા ઉમેરવામાં આવેલા બિનસાંપ્રદાયિક અને સમાજવાદ શબ્દોને કાઢી નાખવાની અદાલતમાં વિનંતી કરી છે જેના અનુસંધાને સોમવારે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે બંધારણના ૪૨મા સુધારાને લઈને ઘણી ન્યાયિક સમીક્ષા કરવામાં આવી છે, જે ૧૯૭૬માં કરવામાં આવી હતી. કટોકટી દરમિયાન સંસદે જે પણ કામ કયુ તે અમાન્ય છે એવું આપણે કહી શકીએ નહીં. આ ટિપ્પણી કરીને, કોર્ટે બંધારણની પ્રસ્તાવનામાંથી 'સમાજવાદી' અને 'સેકયુલર' જેવા શબ્દોને દૂર કરવાની માંગ કરતી અરજીને મોટી બેંચને સોંપવાનો ઇનકાર કર્યેા હતો.
તેમણે કહ્યું કે આ કેસનો ચુકાદો સોમવારે સંભળાવવામાં આવશે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ચીફ જસ્ટિસ ખન્નાએ કહ્યું કે ભારતીય સંદર્ભમાં સમાજવાદીનો અર્થ કલ્યાણકારી રાય છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક અરજી દાખલ કરીને પ્રસ્તાવનામાં બંધારણીય સુધારા દ્રારા ઉમેરવામાં આવેલા ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દોને કાઢી નાખવાની વિનંતી કરી છે. એડવોકેટ વિષ્ણુશંકર જૈન અને અન્યોએ પણ અરજી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech