જેતપુર નગરપાલિકા દ્રારા ૧૪ વર્ષ પૂર્વે શહેરના કણકિયા પ્લોટમાં બનાવેલ શાકભાજી માર્કેટ હરાજી ન થવાના વાંકે બિસમાર અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. આ શાકભાજી માર્કેટની હરરાજી ન થવાથી શહેરના મુખ્ય માર્ગ પર સરકારી હોસ્પીટલ સામે શાકભાજીના ફેરીયાઓ લારી રાખી ઉભા રહે છે જેથી ટ્રાફિકજામની સમસ્યા તેમજ રેઢિયાળ ઢોર રાહદારીઓને ઢીકે ચડાવવાની સમસ્યા પણ ઉદભવી છે.
જેતપુર નગરપાલિકા દ્રારા ૧૪ વર્ષ પૂર્વે શહેરના બસ સ્ટેન્ડ પાછળ કણકિયા પ્લોટ વિસ્તારમાં જુના વોલીબોલ મેદાનમાં શાકભાજી લાખો પિયાનાં ખર્ચે શાકભાજી માર્કેટ બનાવેલ. આ શાકભાજી માર્કેટ બનવાથી હવે યાં ત્યાં મુખ્ય રસ્તાઓ પર શાકભાજીની લારીઓ લઈને શાકભાજીનું વેચાણ કરતા ફેરીયાઓથી સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા તેમજ ગંદકીની સમસ્યાથી મુકિત મળશે તેવી શહેરીજનો આશા સેવી રહ્યા હતાં. શાકભાજી માર્કેટ માટે નગરપાલિકા દ્રારા ૧૧૪ થડા બનાવેલ તેની હરાજી માટે કલેકટરમાં વર્ષ ૨૦૧૫માં દરખાસ્ત કરવામાં આવેલ. પરંતુ તત્કાલીન સમયે સ્થાનિક વિસ્તારના ભાવ મૂલ્યાંકન બાબતે તે દરખાસ્ત નામંજૂર થઈ હતી. હવે ફરીથી દરખાસ્ત તૈયાર કરી થડાની હરાજી માટે સરકારમાં મોકલવામાં આવી હોવાનું નગરપાલિકાના હેડ કલાર્ક દીપકભાઈ પટોળડિયાએ જણાવેલ.૧૪–૧૪ વર્ષ જેટલા લાંબા સમયથી આ ખુલ્લી માર્કેટ રેઢી પડી હોવાથી તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. અહીં ચારેબાજુ દેશી દાની ખાલી પોટલીઓ તેમજ અંગ્રેજી દાની બોટલો જોવા મળે છે. ઉપરાંત બે વર્ષ પૂર્વે અહીં અગાસી પર એક યુવાનની હત્યાના બનાવ જેવો ગંભીર બનાવ પણ બન્યો હતો. જેથી આ શાકભાજી માર્કેટ કોઈ પણ ભોગે તાત્કાલીક હરાજી કરી શાકભાજીના ફેરીયાઓને આપવામાં આવે તો શહેરીજનોને ટ્રાફિકજામમાંથી મુકિત, રેઢિયાળ ઢોર શાકભાજીનો કચરો ખાવા રોડ પર પડા પાથર્યા રહે છે તેમાંથી મુકિત તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલ માર્કેટ કાર્યરત થાય તો ત્યાંથી આવા તત્વો પણ દૂર થાય અને ગુન્હાહિત પ્રવૃત્તિ પણ ઓછી થાય સાથે નગરપાલિકાના ભાડાની પણ આવક થઈ જાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech