આદિ શંકરાચાર્યજીની જન્મજયંતિ નિમિતે દ્વારકા શારદા પીઠમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો

  • May 02, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
દ્વારકા શારદાપીઠ ખાતે આજે વૈશાખ સુદ પાંચમ તા.૨-૫-૨૫ શુક્રવારનાં રોજ સનાતન ધર્મના પ્રચારક એવા આદ્ય શંકરાચાર્ય મહારાજનો જન્મજયંતિ મહોત્સવ શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના માર્ગદર્શનમાં ભકિતભાવ પુર્વક  ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી શારદાપીઠ શંકરાચાર્ય મઠ દ્વારકામાં આવેલ ગુ‚ગાદી ખાતે સવારે ૮ થી આદ્યશંકરાચાર્યની પાદુકાનુ પુજન તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશજીની ધજાજીનું પુજન તેમજ ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે સંતોના આશિર્વાદ સહ પૂ. આદ્યશંકરાચાર્યજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે તમામ સનાતન ધર્માનુરાગીઓ આ ઉત્સવમાં જોડાયા હતા તેમજ આદ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ તથા સંતોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ શારદાપીઠના બ્રહ્મચારી નારાયણનંદજી મહારાજ દ્વારા ભકતોને આશિર્વાદ આપવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application