ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તળાજા તાલુકાના મામસી ગામ ખાતે મોડી lરાત્રી દરમિયાન બે વનરાજએ ખેડૂતની ગાયનું મારણ કરાયું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર જિલ્લાના તળાજા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા વન્ય પશુઓની રંજાડ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા કેટલાક સમયથી વધુ વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર સુધી આવી જતા લોકો પર હુમલા અને પશુના મારણ કરવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અને અવારનવાર રાત્રીના સમયે સિંહ જેવા દીપડા પશુઓ મનાવ વસ્તી સુધી આવી જતા હોવાના અનેક વિડિયો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે ગત મોડીરાત્રી દરમિયાન તળાજા તાલુકાના મામસી ગામની વાડી વિસ્તારમાં અચાનક બે બે સિંહ ચડી આવ્યા હતા. અને બન્ને વનરાજએ એક ગાયનું માંરણ કરવામાં કરાયું હતું. આ બનાવમાં જાણવા મળતી માહિતી અનુસાર મામસી ગામના પ્રવિણસિંહ નટુભાની વાડીમાં રાખવામાં આવેલ એક ગાયનું સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. જેને લઇને ખેડૂતોમાં ભય ફેલાયો છે. વાડી વિસ્તારમાં રહેતા મજૂરો તેમજ વાડી વિસ્તારમાં કામ કરવા જતા ખેડૂતો પણ ખૂબ જ ભયના ઓથાર નીચે વાડી ખેતરે જાય છે. અને ખુબ જ ભય અનુભવે છે. જેમાં ખાસ કરીને ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જીઇબી કચેરીમાં વીજ પુરવઠો દિવસના સમયે જ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. પણ આજદિન સુધી ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવી નથી. અને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવે છે. જેના કારણે વાડીના પાકમાં પાણી વાળવા જવા માટે પણ ખેડૂતો ખૂબ જ ડર અનુભવે છે. અને જીવનું જોખમ પણ હોય જેથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા પણ માંગણી કરી હતી. અને સાથે જ વન વિભાગ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરી વન્ય પ્રાણીઓને પાંજરે પુરી ગ્રામ્ય વિસ્તારમાંથી જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech