ઉત્તરાખંડ: નૈનીતાલમાં 32 લોકોથી ભરેલી બસ ખાઈમાં પડી, SDRF ચલાવી રહી છે રાહત અને બચાવ કામગીરી

  • October 08, 2023 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૈનીતાલ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 32 લોકોને લઈને જતી બસ કાલાઢુંગી રોડ પર નાલનીમાં ખાઈમાં ખાબકી છે. SDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.


પ્રાપ્ત માહિતીના આધારે વાત કરીએ તો એસડીઆરએફને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નૈનીતાલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે 30 થી 33 લોકોને લઈ જતી બસ કાલાઢુંગી રોડ પર નાલનીમાં ખાઈમાં પડી ગઈ છે.


માહિતીના આધારે શ્રી મણિકાંત મિશ્રા, કમાન્ડન્ટ એસડીઆરએફની સૂચના મુજબ પોસ્ટ રૂદ્રપુર, નૈનીતાલ અને ખૈરનાથી એસડીઆરએફ બચાવ ટીમો તાત્કાલિક બચાવ માટે સ્થળ પર રવાના કરી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ બસમાં 32 લોકો હતા જે હરિયાણાના હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા.


SDRF રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અન્ય બચાવ એકમો અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી. બસમાં સવાર 18 લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application