જામનગરના ૧૪૦૪ આવાસમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યાં છે, જે ઈમારત ભયજનક છે. આથી આગામી ચોમાસા ની સીઝનને ધ્યાનમાં રાખી આ આવાસમાં વપરાશ બંધ કરવા ફલેટ ધારકો ને જાહેર નોટિસ થી તાકીદ કરવામાં આવી છે.
અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનોની જાળવણી મરામત કરવાની જવાબદારી ફલેટ (આવાસ) ધારકની છે. પરંતુ અનેક ફલેટમાં જાળવણી કરવામાં આવી નથી. જુન-ર૦ર૩ માં આ ઈમારતને ભયજનક જાહેર કરવામાં આવી હતી અને વપરાશ બંધ કરી આવાસ ખાલી કરી આપવા સૂચના પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. આ પછી વખતો વખત રહેવાસીઓ સામે મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં પણ સૂચના અપાઈ હતી.
આગામી ચોમાસાની મૌસમ ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવાસનો વપરાશ બંધ કરવાનો રહેશે , અન્યથા જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી મહાનગરપાલિકા ની નહીં, પરંતુ આવાસ ધારક.ની રહેશે તેમ મહાનગરપાલિકા ના સિટી ઈજનેર દ્વારા જાહેર નોટીસ મારફત જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech