ઉપલેટા માવતરના ઘરે રહેતી પરિણીતાએ હૈદરાબાદમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યા અંગેની ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટામાં પંજાબી કોલોની વિસ્તારમાં માવતરના ઘરે રહેતી સનાબેન (ઉ.વ ૨૯) નામની પરિણીતાએ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હૈદરાબાદમાં રહેતા પતિ સિરાજ મનસુરભાઈ લંધા, સાસુ તાહીરાબેન, સસરા મનસુરભાઈ મજીદભાઈ લંધા અને ઓરિસ્સામાં રહેતી નણંદ તોહિદા અસ્ફાકભાઇ તેમજ ઉપલેટામાં રહેતા મામાજી સસરા અકબર સતારભાઈ ખાખુના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન ૧૬/૫/૨૦૧૨ ના અમદાવાદ રહેતા સીરાજ સાથે થયા હતા.આ લગ્નજીવન થકી તેને સંતાનમાં સાત વર્ષનો પુત્ર આહિલ છે જે હાલ તેની સાથે રહે છે.લગ્ન બાદ પતિનો ધંધો હૈદરાબાદ ખાતે સેટ થઈ જતા તેઓ હૈદરાબાદ રહેવા ગયા હતા. થોડો સમય ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ મામાજી સસરા અકબર ખાખુ અમદાવાદ અને હૈદરાબાદ આવી પતિ સહિતના સાસરીયાઓની ચઢામણી કરતા તેઓ ત્રાસ આપવા લાગ્યા હતા અને ઉપલેટા જતા રહેવાનું કહેતા હતા.
દરમિયાન મામા સસરા અને નણંદ હૈદરાબાદ આવ્યા હોય ચા બનાવવાનું કહેતા પરિણીતાએ ચા બનાવીને આપતા ચા સારી નથી બનાવી તેમ કહી નણંદે તેના પર રકાબીનો ઘા કર્યો હતો તેમજ મામા સસરા સહિતના પરિણીતાને પરેશાન કરી રૂમમાં પૂરી દેતા અને જમવાનું પણ આપતા ન હતા. પરિણીતાને ત્રાસ આપી પહેરેલ કપડે કાઢી મૂકી હતી.પરિણીતાએ દીકરાને જન્મ આપ્યા બાદ સાસુ સસરા છ મહિના બાદ ઉપલેટા આવ્યા હતા અને તલાક આપી જતા રહ્યા હતા.
બાદમાં પરિણીતાએ ભરણપોષણનો કેસ કરતા સમાધાન કરી લઈ પરત લઈ ગયા હતા. હૈદરાબાદમાં અલગ ભાડાનું મકાન રાખ્યું હતું કોર્ટ કેસ પાછો ખેંચ્યા બાદ આરોપીઓએ ફરી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અન્ય સાસરિયાની ચઢામણીથી પતિએ ઢોર મારમાર્યો હતો. તેમજ તેણીના દીકરાને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં જુલાઈ ૨૦૨૦ માં ઘરકામ બાબતે પતિએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી હતી અને બાદમાં સમાધાનનો કોઈ પ્રયાસ ન કરતા અંતે પરણીતાએ આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech