BREAKING NEWS

ગીર સોમનાથ પંથકમાં કમોસમી વરસાદની આફત: ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી, કેરી પકવતા ખેડૂતો ચિંતાતુર

  • May 06, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ગીર ગઢડા અને ઊના તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. હવામાનમાં આવેલા આ આકસ્મિક ફેરફારને કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે.


ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

ગીર ગઢડાના હરમડીયા, પૂછવી, એભલવડ, ધોકડવા અને બેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી આપી છે. અહીં ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, ઊનાના ઉમેજ, પાતાપુર અને ભાચા જેવા ગામોમાં પણ કમોસમી આફત વરસવાનું શરૂ થયું છે.


ખેતી અને જનજીવન પર અસર

કેસર કેરીને નુકસાન: ભારે પવન અને કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને કેસર કેરી પકવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની કે ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ ખેતરોમાં તૈયાર થયેલા ઉનાળુ પાકને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

વરસાદની સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે ઊનાના કંસારી રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેના લીધે વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનવ્યવહાર થંભી ગયો હતો. આમ, અચાનક પડેલા આ વરસાદે ગીર પંથકના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application