ખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત

  • May 03, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બંદર વિસ્તારમાં ખાડીના પાણીમાં પડી જતા માચ્છીમારનુ મોત થયુ છે જેમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોરબંદરના મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતા શૈલેષ ભાદ્રેચાએ હાર્બર મરીન પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે અશ્ર્વિન રણછોડભાઇ ભાદ્રેચા ઉ.વ. ૩૯ તા. ૧મેના સાંજે કોઇપણ સમયે અકસ્માતે બંદર વિસ્તારમાં ખાડીના પાણીમાં પડી ગયો હતો અને ડૂબી જતા અશ્ર્વિનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા માચ્છીમાર અગ્રણીઓ પહોંચી ગયા હતા અને અશ્ર્વિનના મૃતદેહને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પી.એમ. માટે લવાયો હતો. હાર્બર મરીન પોલીસ મથકના પી.આઇ. એસ.ડી. સાળુંકેએ આગળની તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application