ગુજરાત બજેટ પર કેન્દ્રીય રાજ્યમંત્રી ભાનુપ્રતાપસિંઘ વર્માનું નિવેદન, "સરકારે MSME સેક્ટરને ફાળવ્યા 1500 કરોડ, ગુજરાતનું બજેટ ઉત્તમ"

  • February 24, 2023 07:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમ. એસ. એમ. ઈ.) વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી ભાનુ પ્રતાપસિંહ વર્માએ રાજકોટની સયાજી હોટેલ ખાતે આયોજિત મેગા એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવનો આરંભ કરાવ્યો હતો. 


આ મેગા કોનક્લેવમાં સિક્યુરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનીકલ એસોસિએશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સંરક્ષણ સાધનોના પાર્ટ્સ બનાવવા અંગે એમ.ઓ.યુ.(મેમરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ભાનુપ્રતાપસિંહ વર્માએ જણાવ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવામાં એમ. એસ.એમ. ઈ. ક્ષેત્રનું યોગદાન બહુમૂલ્ય છે. આ ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે રૂ. ૩.૭ લાખ કરોડની ફાળવણી કરી છે, કોરોના કાળમાં પણ એમ.એસ એમ. ઈ. ક્ષેત્રએ દેશની વિકાસની ગતિ જાળવી રાખવામાં મહત્વનું પ્રદાન કર્યું છે. તાજેતરના કેન્દ્રીય બજેટમાં પણ આ ક્ષેત્ર માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે તથા નાના ઉદ્યોગોને ઉત્તેજન માટે કેન્દ્ર સરકાર હંમેશા કટિબદ્ધ છે, તેમ પણ મંત્રીશ્રી વર્માએ ઉમેર્યું હતું. કેન્દ્ર સરકારની ઔદ્યોગિક ક્ષેત્રને ઉત્તેજન આપતી નીતિઓનો લાભ લઈને દેશને વિકાસની રાહ પર અગ્રેસર બનાવવા મંત્રીશ્રી વર્માએ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને વિશેષ અનુરોધ કર્યો હતો.


સાથે જ ગુજરાતના બજેટ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રિત રાજ્યમંત્રી ભાનુપ્રતાપસિંહ વર્માએ જણાવ્યું હતું કે, સરકારે MSME સેક્ટરને ફાળવ્યા 1500 કરોડ, ગુજરાતનું બજેટ ઉત્તમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application