રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગમાં માસૂમ બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકો બળીને ભડથું થઇ ગયાની રાજકોટના ઇતિહાસની સૌથી ગોઝારી દુર્ઘટના બાદ હાઇકોર્ટના આદેશ અને સરકારની સૂચનાથી નવનિયુકત મ્યુનિ.કમિશનર દ્રારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનનું સખત ચેકિંગ શ કરી ધડાધડ મિલકતો સીલ કરવાનું શ કરતાં હાલ સુધીમાં શહેરમાં ૫૦૦થી વધુ મિલકતો સીલ થઇ ચુકી છે, દરમિયાન જેમની મિલકતો સીલ થઇ છે તેમના તરફથી મહાપાલિકાના પદાધિકારીઓ ઉપર સતત રજૂઆતો આવી રહી હોય સિલિંગ ઝુંબેશનું પ્રેશર આવતા આજે મહાપાલિકાના પદાધિકારીઓ હવે શું કરવું ? તે અંગેનું માર્ગદર્શન મેળવવા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનું માર્ગદર્શન મેળવવા દોડી ગયા હોવાનું જાણવા મળે છે.
લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગર પહોંચ્યું છે અને સાંજે ચાર કલાકે રાજકોટના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મિટિંગ કરનાર છે.
વિશેષમાં મ્યુનિ.પદાધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ મુલાકાતમાં રાજકોટ શહેરમાં બનેલ ટી.આર.પી.ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાય સરકારની સુચના અન્વયે શહેરમાં આવેલ અલગ અલગ કેટેગરીની મિલકતો જેમાં, શાળા–કોલેજ, હોસ્ટેલ, ટુશન કલાસીસ, હોસ્પિટલો, જ્ઞાતિ–સમાજની વાડીઓ તેમજ જાહેર જનતા એકત્ર થતી હોય તેવી ખાનગી–જાહેર મિલકતમાં બિલ્ડીંગ મંજુર પ્લાન, બિલ્ડીંગ વપરાશ પરમીશન પ્રમાણપત્ર, ફાયર એનઓસી વગેરેની ચકાસણી ઝુંબેશ સ્વપે કરવામાં આવેલ છે. શહેરના સંબંધિત મિલકતધારકો તથા વેપારી એસોસિએશન્સ તરફથી અત્રે રજુઆતો મળેલ છે જે અંગે ચર્ચા વિચારણા કરવામાર્ગદર્શન મેળવવા, રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર અધિકારીની નિમણૂંકભરતી કરવા તેમજ રાજકોટ મહાપાલિકાને લગત જુદા જુદા પ્રશ્નો તથા હાઉસિંગ બોર્ડને લગત પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ પ્રતિનિધિ મંડળ દ્રારા રજુઆત કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સમૂહ નવકાર મંત્ર જાપ, વિશ્વ નવકાર દિવસની ઉજવણી
April 09, 2025 01:08 PMજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech