ઉના: હોળીમાં કોડીનારથી એકસ્ટ્રા બસો ઉપાડવા માગ

  • March 16, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારની એસટી સુવિધા ખૂબજ ઓછી છે. કોડીનાર તાલુકાના વિધાર્થીઓ અભ્યાસ અર્થે તથા કેટલાક પરીવાર નોકરી ધંધાર્થે વડોદરા અમદાવાદ વિધાનગર રાજકોટ ગાંધીનગર ભૂજમાં સ્થાયી થયા છે. આ ઉપરાંત માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોરબંદર ઓખા તથા જખૌ ખાતે આવનજાવન કરે છે. બીજી બાજુ કોડીનારથી ગાધીનગર જખૌ સુરત ની બસો કાયમી ધોરણે પેક હોય છે. ત્યારે આગામી દિવસોમાં હોળી ધુળેટીના તહેવારો આવી રહ્યા છે. જેને અનુસંધાને એસટી નિગમ પંદરસો બસો દ્વારા સાતહજારથી વધુ એકસ્ટ્રા ટ્રીપોનુ આયોજન કરી રહ્યું છે. ત્યારે આ તહેવારોના દિવસોમાં કોડીનારથી ઓખા જખૌ બંદર તથા અમદાવાદના એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવે તેવી લેખિત માગણી અજીતભાઈ ચાવડાએ ડેપો મેનેજર કોડીનાર, વિભાગીય નિયામક અમરેલીને કરી છે. 
​​​​​​​
હોળી-ધૂળેટીના તહેવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે
ઉના: અમરેલી એસ.ટી. ડિવિઝન હેઠળ આવેલ ઊના એસ.ટી. ડેપોના મેનેજર એલ.ડી. રાઠોડએ જણાવેલ છે કે આગમી હોળી અને ધૂળેટીના તહેવારો માટે વતન જવા માટે ઊનાથી ગોધરા, જાલોદ, ગોધરા, પીપલોદ જવા માટે આવતી કાલ તા,૧૬/૩થી ઊના એસ. ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે તો મુસાફરોએ લાભ લેવા જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application