ઉના: મધ્યગીર સ્થિત પાતાળેશ્ર્વર મંદિર ૧૧ માર્ચ સુધી દર્શનાર્થે ખુલ્લું રહેશે

  • March 06, 2024 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડા નજીક બાબરીયા રેન્જ હેઠળ મધ્ય ગીરમાં ઘટાદર વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારમાં પાતાલેશ્વર મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિતે એટલેકે આજથી ભાવિકો મહાદેવનાં દર્શને જવા માટે સાત દિવસ સુઘી વનવિભાગ દ્વારા ખુલ્લું  મુકવામાં આવ્યું છે.

૧૧ માર્ચ  સવારે ૮થી સાંજે ૫ સુધી ખુલ્લ ું રાખવામા આવ્યુ છે. જેથી ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. જોકે ગીરમાં પ્રતિબંધિત વિસ્તાર આવેલો હોવાથી મહાશિવરાત્રિના તહેવારમાં જવા આવવા મંજુરી આપવામાં આવી છે. 
​​​​​​​
ગીરનાં જંગલનાં કુદરતી પ્રકૃતિ વચ્ચે સૌંદર્ય વાતાવરણ વચ્ચે બિરાજમાન પાતાલેશ્વ મહાદેવનાં મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે શિવરાત્રી દરમિયાન યાત્રાળુઓને આવવા જવા સાત દિવસ સુધી શ્રધ્ધાળુઓને દર્શન માટે વન્ય વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે. 
જંગલનાં પ્રતિબંધ વિસ્તારમાં આવેલ પાતાલેશ્વ૨ ધામ મંદિરનાં બ્રહ્મલીન સંત મથુરાદાસ બાપુ ગુરુ અર્જુન દાસ બાપુએ વર્ષોની તપસ્યા કરીને પાતેશ્વર મહાદેવ ધામને ઉજાગર કરીને ગીરગઢડાનાં જામવાળા ચેકપોસ્ટ થી બાબરીયા ચેક પોસ્ટ થી સાત કિ.મી. દુર ઘટાટોપ વનરાઈ વચ્ચે આવેલું છે. પાતાશ્વર મહાદેવ મંદિર ખાતે જવાં માટે ગીરગઢડાથી ૧૬ ઉના થી ૩૪ જામવાળા થી ૧૬ તાલાલા થી ૪૭ કી. મી. નાં અંતર પ્રતિબંધ જંગલ વિસ્તારમાં આવેલ છે. આ મંદિરે આવતાં શ્રદ્ધાળુઓ માટે ચા-પાણી તેમજ મહા પ્રસાદની વ્યવસ્થા પણ ત્યાં રહેતા મહંત ધર્મદાસ દ્વારા રાખવામાં આવી છે. મહા શિવરાત્રી દરમિયાન અહીંયા ભાવિકોનો પ્રવાહ જોવા મળતો હોય છે. અને અહિ આવતાં શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટિક તેમજ પાણીની બોટલ અને કચરો વન્ય વિસ્તારમાં જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવો નહીં તેવી અપીલ પણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application